IPL 2022: રવિ શાસ્ત્રીએ આઇપીએલને મહાન ફિઝિયોથેરાપિસ્ટ ગણાવી, કહ્યુ સિઝન આવતા બધા જ ફિટ થઇ જાય છે!

|

Mar 23, 2022 | 10:07 AM

રવિ શાસ્ત્રી (Ravi Shastri) લાંબા સમય પછી કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે. તે આઈપીએલમાંથી કોમેન્ટ્રીમાં પરત ફરી રહ્યો છે અને તે પહેલા તેણે લીગને લઈને મોટું નિવેદન આપ્યું છે.

IPL 2022: રવિ શાસ્ત્રીએ આઇપીએલને મહાન ફિઝિયોથેરાપિસ્ટ ગણાવી, કહ્યુ સિઝન આવતા બધા જ ફિટ થઇ જાય છે!
Ravi Shastri આઇપીએલ કોમેન્ટેટર તરીકે જોવા મળશે.

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ને લઈને એક મોટી વાત કહી છે. શાસ્ત્રીએ કહ્યું છે કે આઈપીએલ એક મહાન ફિઝિયોથેરાપિસ્ટ છે કારણ કે તે ખેલાડીઓને આવતાની સાથે જ ફિટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. શાસ્ત્રીએ જે કહ્યું છે તે ક્રિકેટ જગતની અંદર અને બહારના લોકો ઘણી વખત કહી ચૂક્યા છે. શાસ્ત્રી આઈપીએલ 2022 માંથી કોમેન્ટેટર તરીકે પરત ફરી રહ્યા છે. તેઓ ગયા વર્ષના ICC T20 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ હતા. શાસ્ત્રીની ગણના વિશ્વના શ્રેષ્ઠ કોમેન્ટેટરોમાં થાય છે.

IPLની આગામી સિઝન 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચથી શરૂ થઈ રહી છે. લીગની મેચો મહારાષ્ટ્રમાં જ રમાશે. મુંબઈના ત્રણ સ્ટેડિયમ આ લીગની મેચોની યજમાની કરશે, જ્યારે પુણેનું એક સ્ટેડિયમ પણ મેચોનું આયોજન કરશે. શાસ્ત્રી સાત વર્ષ બાદ કોમેન્ટ્રી બોક્સમાં કમબેક કરી રહ્યા છે. આ વખતે તેઓ હિન્દીમાં કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

IPL પહેલા દરેક વ્યક્તિ ફિટ થઈ જાય છે

IPL બ્રોડકાસ્ટર દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શાસ્ત્રીએ કહ્યું, “IPL વિશ્વની મહાન લીગમાંથી એક છે. સાથે જ તે વિશ્વના મહાન ફિઝિયોમાંથી એક છે કારણ કે IPL ઓક્શન પહેલા દરેક વ્યક્તિ ફિટ થઈ જાય છે, કારણ કે દરેક વ્યક્તિ IPL માં રમવા માંગે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પીચ વિશે આ વાત કહી

મુંબઈના ત્રણ સ્ટેડિયમ-વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમ મેચોની યજમાની કરશે, જ્યારે પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પણ મેચોનું આયોજન કરશે. મુંબઈની પીચો અંગે શાસ્ત્રીએ કહ્યું કે, આ ત્રણેય પીચો લાલ માટીની બનેલી છે, તેથી તમને ટૂંક સમયમાં ખબર પડશે કે તે કેવી રીતે રમશે. તમને મુંબઈના ત્રણેય સ્થળો પર સમાન પિચ મળશે.

પૈસા ભૂલી જવાની જરૂર છે

જ્યારે શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે લીગમાં યુવાનો મોટા પૈસા લઈને આવે છે, શું તેમના પર કોઈ દબાણ છે? આ અંગે શાસ્ત્રીએ કહ્યું, પૈસાને ભૂલી જવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ બેઝિક્સ પર પાછા જવું પડશે અને શરૂઆતથી શરૂ કરવું પડશે… કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. પરંતુ તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન આપવું પડે છે અને અહીં કેપ્ટન મોટો માણસ બની જાય છે. તે દબાણને શોષી શકે છે. એક ચતુર કેપ્ટન આવું જ કરે છે.

 

આ પણ વાંચોઃ Tennis: Ashleigh Barty એ નિવૃત્તી જાહેર કરી, વિડીયો શેર કરીને આપી જાણકારી, ફેંન્સને નથી થઇ રહ્યો વિશ્વાસ

આ પણ વાંચોઃ WWC 2022: વડોદરાની યુવતીનો કમાલ ! વિશ્વકપમાં ધમાલ મચાવનારી મહિલા ક્રિકેટર પંડ્યા બ્રધર્સને હંફાવી બેટીંગ શીખી હતી

 

Published On - 9:10 am, Wed, 23 March 22

Next Article