IPL 2021: પંજાબ કિંગ્સ અને KKR માટે આજે ટકી રહેવાની ટક્કર, બંને માટે જરુરી જીત માટે કેવી રીતે કરશે મુકાબલો?

IPL 2021: કેએલ રાહુલ (KL Rahul) ની પંજાબ ટીમ માટે પ્લેઓફની રેસમાં રહેવા માટે 'કરો અથવા મરો' ની નીતિ અપનાવવી પડશે. બીજી બાજુ, KKR પણ જીતનો સીલસીલો ચાલુ રાખવા ઈચ્છશે.

IPL 2021: પંજાબ કિંગ્સ અને KKR માટે આજે ટકી રહેવાની ટક્કર, બંને માટે જરુરી જીત માટે કેવી રીતે કરશે મુકાબલો?
KL Rahul-Eoin Morgan
| Edited By: | Updated on: Oct 01, 2021 | 9:52 AM

શુક્રવારે યોજાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચેની IPL મેચમાં નજર વેંકટેશ અય્યર (Venkatesh Iyer)ની શાનદાર બેટિંગ અને રવિ બિશ્નોઈની શાનદાર બોલિંગ મેચ પર પણ રહેશે. કોલકાતાના ઓલરાઉન્ડર વેંકટેશે ઝડપી બોલિંગ સામે પોતાની નિર્ભયતા પૂર્વકની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. બિશ્નોઈના કાંડાના સ્પિને છેલ્લી બે સીઝનથી નોંધપાત્ર રીતે બેટ્સમેનોને પરેશાન કર્યા છે.
કેએલ રાહુલ (KL Rahul) ની પંજાબ ટીમ માટે પ્લેઓફની રેસમાં રહેવું ‘ડુ ઓર ડાઇ’ મેચ હશે. મુંબઈ ઈન્ડીયન્સના હાથે હાર બાદ રાહુલે સ્વીકાર્યું કે તેમની ટીમ દબાણ હેઠળ સારી રીતે રમી રહી નથી અને તેમને પોતાનું પ્રદર્શન સુધારવું પડશે.

મીડલ ઓર્ડરના ખરાબ ફોર્મની પણ ટીમના પ્રદર્શન પર અસર પડી છે. રાહુલ (422 રન) અને મયંક અગ્રવાલ (332) સિવાય કોઈ પણ બેટ્સમેન પ્રભાવિત બેટીંગ કરી શક્યો નથી. ક્રિસ ગેઇલે 10 મેચમાં માત્ર 193 રન બનાવ્યા હતા, તે હવે ટીમ સાથે નથી. નિકોલસ પૂરન દસ મેચમાં માત્ર 70 રન જ બનાવી શક્યો છે.

ભારતીય ખેલાડીઓમાં, એમ શાહરૂખ ખાન અને દીપક હુડા તકનો લાભ લઈ શક્યા નથી. બેટ્સમેનોની નિષ્ફળતા વચ્ચે સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તી જેવા સ્પિનરોને ધીમી પીચ પર સામનો કરવો વધુ મુશ્કેલ લાગશે. આ બેની આઠ ઓવર મેચની સ્થિતિ અને દિશા નક્કી કરી શકે છે. પંજાબ માટે, બિશ્નોઈ (નવ વિકેટ) સિવાય, કોઈ બોલર બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શક્યો નથી. મોહમ્મદ શામીએ 14 અને અર્શદીપ સિંહે 13 વિકેટ લીધી હતી. પરંતુ બંને મોંઘા સાબિત થયા છે.

વેંકટેશ 144 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે

વેંકટેશે KKR માટે 144 પ્લસના સ્ટ્રાઇક રેટથી 126 રન બનાવ્યા છે. જો તે શામી અને અર્શદીપનો પ્રથમ સ્પેલ રમી લે છે, તો તે બિશ્નોઈ અને હરપ્રીત બ્રારને કેવી રીતે રમે છે તે જોવું રસપ્રદ રહેશે. કેકેઆરે પણ નીતિશ રાણાને બેટિંગ ક્રમમાં ઉપર મોકલીને યોગ્ય નિર્ણય લીધો છે. કારણ કે તે કેપ્ટન ઇયોન મોર્ગન કરતાં સ્પિન વધુ સારી રીતે રમે છે. દિલ્હી કેપિટલ્સ સામેની જીતમાં તેમને આ નિર્ણયનો લાભ પણ મળ્યો.

કોલકાતા અને પંજાબની ટીમો

કોલકાતા નાઈટ રાઈડર્સ: ઇયોન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગુરકીરત સિંહ માન, કરુણ નાયર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, હરભજન સિંહ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પવન નેગી, એમ પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર , શિવમ દુબે, ટિમ સાઉથી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ, બેન કટીંગ, શાકિબ અલ હસન, સુનીલ નરેન, વેંકટેશ અય્યર, શેલ્ડન જેક્સન અને ટિમ સીફર્ટ.

પંજાબ કિંગ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ, ઇશાન પોરેલ, શાહરૂખ ખાન, મોહમ્મદ શામી, નાથન એલિસ, આદિલ રશીદ, મુરુગન અશ્વિન, હરપ્રીત બ્રાર, મોઇસ હેનરિક્સ, ક્રિસ જોર્ડન, એડેન માર્કરમ, મનદીપ સિંહ, દર્શન નલકંડે, પ્રભસિમરન સિંહ, રવિ બિશ્નોઈ, ઉત્કર્ષ સિંહ, ફેબિયન એલન, સૌરભ કુમાર, જલજ સક્સેના.

 

આ પણ વાંચોઃ IPL 2021: ક્યારેક ઇરફાન પઠાણ તેનો ક્રશ હતો, તે આજકાલ આઇપીએલને લઇ ધમાલ મચાવી રહી છે, જુઓ તેની ખૂબસૂરત તસ્વીરો

આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, ક્રિસ ગેઇલે અધવચ્ચે જ છોડ્યો પંજાબનો સાથ, આ કારણ થી ‘યુનિવર્સ બોસે’ લીધો નિર્ણય

 

 

 

Published On - 9:49 am, Fri, 1 October 21