શ્રીલંકા ક્રિકેટ ટીમ સામે (Sri Lanka Cricket) ઘર આંગણે ભારત (Team India) ત્રણ મેચની ટી20 સીરિઝ રમશે. ટી20 સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar) ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી ટી20 સીરિઝ દરમ્યાન દીપક ચહર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને પોતાની ઓવર પણ પુરી કરી શક્યો ન હતો. એવામાં હવે શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બહાર થવું પડશે. વેસ્ટ ઇન્ડિઝની ટી20 સીરિઝમાં ક્લિન સ્વિપ કરવામાં દીપક ચહરની ભુમિકા મહત્વની રહી હતી. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ ટીમને ત્રણ મેચમાં હરાવીને સીરિઝ પર કબજો કર્યો હતો. જોકે હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી અને તેના કોઇ રિપ્લેસમેન્ટને લઇને પણ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા સામે નથી આવી.
શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ ટી20 મેચની સીરિઝ બાદ બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. એવામાં દીપક ચહરના બહાર થવાના સમાચાર ભારતીય ટીમ માટે મોટો ઝટકા સમાન છે. સ્વિંગ બોલિંગ સહિત દીપક ચહર સારી બેટિંગ પણ કરે છે. જોકે કોઇ ખેલાડીને રિપ્લેસ પણ કરવામાં આવે છે તો બાયો-બબલનો પ્રશ્ન સામે આવશે. કોરન્ટાઇન અને અન્ય પ્રક્રિયાઓ બાદ કોઇ પણ ખેલાડી ટીમમાં આવશે. ત્યારે આવા સમયે બીસીસીઆઈ આ સીરિઝ માટે કોઇ રિપ્લેસમેન્ટની જાહેરાત નહીં કરે.
દાસુન શનાક (સુકાની), પથુમ નિસંકા, કુસલ મેંડિસ, ચરિત અસલંકા (ઉપ સુકાની), દિનેશ ચાંડીમલ, દનુષ્કા ગુણાથિલકા, કામિલ મિશારા, જેનિથ લિયાનાગે, વનિંદુ હસારંગા, ચમિકા કરૂણારત્ને, દુષ્મંતા ચમીરા, લાહિરૂ કુમારા, બિનુરા ફર્નાંડો, શિરન ફર્નાંડો, મહીશ તીક્ષણા, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, એશિયન ડેનિયલ (મિનિસ્ટર અપ્રુવલના ભાગ રૂપે).
રોહિત શર્મા (સુકાની), રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, સુર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, જસપ્રીત બુમરાહ (ઉપ-સુકાની), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલ.
આ પણ વાંચો : IND vs SL: ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે શ્રીલંકાનો વારો, ટીમ ઇન્ડિયા પડશે ભારે! જાણો સિરીઝનુ પુરુ શિડ્યૂલ