IND vs WI: ભારતીય ટીમને વન ડે શ્રેણી પહેલા વધુ એક મુશ્કેલી, ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત, થઇ શકે છે બહાર!

|

Jul 22, 2022 | 8:10 AM

ભારતીય ટીમ (Indian Cricket team) શુક્રવારથી વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમવાની છે. જો કે આ શ્રેણી પહેલા ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઈજાગ્રસ્ત થયો છે.

IND  vs WI: ભારતીય ટીમને વન ડે શ્રેણી પહેલા વધુ એક મુશ્કેલી, ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત, થઇ શકે છે બહાર!
Ravindra Jadeja ઈજાને લઈ સિરીઝથી બહાર થઈ શકે છે (Photot PTI)

Follow us on

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા (Team India) ને વનડે સીરીઝની શરૂઆત પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અને વાઈસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સિરીઝ પહેલા ઈજાગ્રસ્ત થયો છે જેના કારણે હવે તેના રમવા પર સવાલો ઉભા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ છે અને મેડિકલ ટીમ હાલ જોઈ રહી છે કે તેની ઈજા કેટલી ગંભીર છે. આ સિવાય કેએલ રાહુલ (KL Rahul) વિશે પણ મોટા સમાચાર આવ્યા છે.

જાડેજા ટી20 સિરીઝ સુધીમાં ફિટ થઈ જશે

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર જાડેજાને સમગ્ર વનડે શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે. બોર્ડ નથી ઈચ્છતું કે તેના ઘૂંટણની ઈજા વધુ ગંભીર બને. જો કે તેણે આશા વ્યક્ત કરી છે કે ભારત સામેની ટી20 સિરીઝ સુધીમાં ટીમ ઈન્ડિયાનો આ મજબૂત ઓલરાઉન્ડર ફિટ થઈ જશે. ટી-20 સિરીઝ 29 જુલાઈથી રમવાની છે. જો જાડેજા બહાર થશે તો ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોએ વાઇસ કેપ્ટનની પસંદગી કરવી પડશે. જોકે તેની અપેક્ષા ઓછી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પોતે નક્કી કરશે કે મેચમાં વાઇસ કેપ્ટન કોણ હશે.

જાડેજા અગાઉ પણ ઘાયલ થયો હતો

રવિન્દ્ર જાડેજા પણ IPL 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો. ભારતમાં જ રમાયેલી ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તે ફિટ થઈને ઈંગ્લેન્ડ પ્રવાસ પર પરત ફર્યો હતો. અહીં ટેસ્ટ મેચ સિવાય તે T20 અને ODI સિરીઝ રમ્યો હતો. જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની ત્રણ મેચમાં 36.00ની સરેરાશથી માત્ર 36 રન બનાવ્યા હતા. આ સિવાય તે આખી સિરીઝમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. જોકે, T20 શ્રેણીમાં તેણે 53.00ની એવરેજથી 53 રન બનાવ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કેએલ રાહુલ કોરોનાથી સંક્રમિત

જાડેજા ઉપરાંત કેએલ રાહુલ વિશે પણ એક મોટું અપડેટ આવ્યું છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ માહિતી આપી કે કેએલ રાહુલ કોરોના સંક્રમિત છે. તે ગ્રોઈન ઈંજરી થી પીડાઈ રહ્યો હતો, ત્યારબાદ તેણે તાજેતરમાં જર્મનીમાં હર્નિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારથી રાહુલ પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. જો કે તેના માટે આ સફર બહુ સરળ રહેશે એવું લાગતું નથી. રાહુલ હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પ્રેક્ટિસ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જવા માટે તેણે NCAમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડી હતી. જો કે, કોરોનાથી સંક્રમિત થયા પછી, તેમની સમસ્યાઓ ઘણી વધી ગઈ છે.

Published On - 8:07 am, Fri, 22 July 22

Next Article