26 જુલાઈથી ભારત-શ્રીલંકા સિરીઝ નહીં રમાય, BCCIએ અચાનક નવું શેડ્યૂલ કર્યું જાહેર

|

Jul 13, 2024 | 8:28 PM

ટીમ ઈન્ડિયા આ મહિને શ્રીલંકાનો પ્રવાસ પણ કરવાની છે. તાજેતરમાં જ BCCIએ આ પ્રવાસનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરંતુ હવે શિડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

26 જુલાઈથી ભારત-શ્રીલંકા સિરીઝ નહીં રમાય, BCCIએ અચાનક નવું શેડ્યૂલ કર્યું જાહેર
India vs Sri Lanka

Follow us on

ઝિમ્બાબ્વે બાદ ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે જુલાઈ અને ઓગસ્ટમાં ODI અને T20 શ્રેણી રમાશે. જેના માટે BCCIએ હાલમાં જ શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ પ્રવાસ 26મી જુલાઈથી શરૂ થવાનો હતો. પરંતુ અચાનક આ પ્રવાસના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની પ્રથમ સોંપણી હશે.

ભારત-શ્રીલંકા શ્રેણીના સમયપત્રકમાં ફેરફાર

BCCIએ આ પ્રવાસનું નવું શિડ્યુલ જાહેર કર્યું છે. હવે આ પ્રવાસ 26 જુલાઈના બદલે 27 જુલાઈથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે T20 શ્રેણીની ત્રણેય મેચ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે અને ત્રણ વનડે મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે , જુલાઈ 27 અને જુલાઈ 29. હવે આ મેચો 27મી જુલાઈ, 28મી જુલાઈ અને 30મી જુલાઈએ રમાશે. તે જ સમયે, ODI શ્રેણીની મેચો હવે બીજી ઓગસ્ટ, ચોથી ઓગસ્ટ અને 7 ઓગસ્ટના રોજ રમાશે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

મેચો કયા સમયે રમાશે

BCCI તરફથી મેચોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શ્રેણીની ત્રણેય T20 મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. તે જ સમયે, ODI શ્રેણીની ત્રણેય મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, આ પ્રવાસ માટે હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન હશે, જ્યારે કેએલ રાહુલને ODI ટીમની કમાન સોંપવામાં આવશે.

 

2021 પછી પ્રથમ શ્રીલંકા પ્રવાસ

ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2021માં દ્વિપક્ષીય શ્રેણી માટે શ્રીલંકાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમની કમાન શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણી જીતી હતી, તો ટી-20 શ્રેણીમાં તેને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે BCCI શ્રીલંકાના પ્રવાસે મજબૂત ટીમ મોકલવા માંગે છે. જોકે, એવા અહેવાલો છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ આ પ્રવાસનો ભાગ નહીં હોય.

ભારત-શ્રીલંકા શ્રેણીનું નવું શિડ્યુલ

27 જુલાઈ – પહેલી T20

28 જુલાઈ – બીજી T20

30 જુલાઈ – ત્રીજી T20

2 ઓગસ્ટ – પહેલી ODI

4 ઓગસ્ટ – બીજી ODI

7 ઓગસ્ટ – ત્રીજી ODI

આ પણ વાંચો: WCL 2024: ભારત-પાકિસ્તાન ફાઈનલ પહેલા આગની જેમ ફેલાયો ઈરફાન પઠાણનો વીડિયો, પત્નીને મેદાનમાં જોઈને કર્યું આવું કંઈક

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article