IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે!

|

Aug 20, 2023 | 9:49 AM

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 હવેથી ડબલિનમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો ટાર્ગેટ જીત સાથે સીરિઝ પર કબજો કરવાનો રહેશે. આ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે.

IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે!
Team India

Follow us on

પ્રથમ T20 મેચ જીત્યા બાદ પણ ભારતીય ટીમ (Team India)માં ફેરફાર જોવા મળી શકે છે. ભારતે ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ આયર્લેન્ડ (Ireland) સામેની પ્રથમ T20 2 રને જીતી હતી. આ સાથે તેણે 3 T20 શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. મતલબ હવે જો ટીમ ઈન્ડિયા બીજી T20 જીતી લેશે તો સીરિઝ કબજે કરી લેશે અને આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ તેને ધ્યાનમાં રાખીને, ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન (Playing 11)માં ફેરફાર કરવાના મૂડમાં છે.

8.75 ઈકોનોમીથી રન આપનાર બહાર થઈ જશે

હવે સવાલ એ છે કે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર થઈ શકે છે. તો આ બદલાવ બોલિંગમાં જોવા મળી શકે છે, જ્યાં પ્રથમ T20માં સૌથી વધુ રન આપનાર ખેલાડી બહાર થઈ શકે છે. અમે જે બોલરની વાત કરી રહ્યા છીએ તે ડેથ ઓવર્સમાં સૌથી વધુ રન આપનાર સાબિત થયો છે. તેણે અત્યાર સુધી તેની T20 કારકિર્દીમાં 3 વખત અંતિમ ઓવરમાં 20 કે તેથી વધુ રન આપ્યા છે. તે ખેલાડી છે અર્શદીપ સિંહ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અર્શદીપ સિંહ મોંઘો સાબિત થયો

આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં ભારતે 6 બોલરો અજમાવ્યા હતા, જેમાં 4 બોલરોએ 4 ઓવરનો ક્વોટા ફેંક્યો હતો અને આ 4 બોલરોએ વિકેટ પણ લીધી હતી. અર્શદીપ સિંહ પણ તેમાંથી એક હતો, જેણે 1 વિકેટ લીધી હતી. જોકે, આ 1 વિકેટ માટે તેણે 8.75ની ઈકોનોમી સાથે રન ખર્ચવા પડ્યા હતા, જે સાબિત કરે છે કે તે બાકીના બોલરોની સરખામણીમાં સૌથી મોંઘા છે.

આવેશ કે મુકેશને મળશે તક?

અર્શદીપ સિંહે આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં 4 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ લીધી હતી. હવે શક્ય છે કે ટીમ ઈન્ડિયા બીજી T20માં અર્શદીપની જગ્યાએ આવેશ ખાન અથવા મુકેશ કુમારમાંથી કોઈ એકને તક આપે. ટીમની બેન્ચ સ્ટ્રેન્થને ચેક કરવા માટે આ પ્રકારના ફેરફાર ટીમ ઈન્ડિયા કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝથી લઈને આયર્લેન્ડ સુધી અર્શદીપને પોતાને સાબિત કરવા માટે પૂરતી મેચો મળી છે એવામાં અન્ય બોલરોને પણ તક મળવી જોઈએ.

આ પણ વાંચો : IND vs IRE: ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ ન કરી શક્યું એ કમાલ બુમરાહ કરશે!

11માંથી 10 ખેલાડીઓ બદલાશે નહીં!

ટીમમાં આ એક ફેરફાર સિવાય અન્ય કોઈ ફેરફારની કોઈ શક્યતા નથી. બેટિંગમાં ભારતીય ટીમ એ જ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે જે પ્રથમ T20માં રમતા જોવા મળ્યા હતા. બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા સ્ટ્રાઈક બોલિંગની કમાન સંભાળતા જોવા મળશે. બંને લાંબા સમય પછી પરત ફર્યા છે, આવી સ્થિતિમાં તેમને હજુ વધુને વધુ મેચો રમવાની જરૂર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article