ભારત-ઓસ્ટ્રેલિયા પહેલી T20 મેચમાં શું ચાલી રહ્યો છે LIVE Betting રેટ? જાણો અહીં

|

Nov 23, 2023 | 4:53 PM

વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા સામ-સામે ટકરાવા તૈયાર છે. બંને ટોચની ટીમો વચ્ચે આ વખતે વનડે નહીં પરંતુ ટી-20 મુકાબલો યોજશે, જેનો અર્થ એ થયો કે અંતિમ ટક્કરથી એકદમ અલગ જ મેચ અને તેથી પણ અલગ પરિણામ જોવા મળી શકે છે. જેને લઈ બેટિંગ રેટમાં પણ મોટા બદલાવો થઈ શકે છે.

ભારત-ઓસ્ટ્રેલિયા પહેલી T20 મેચમાં શું ચાલી રહ્યો છે LIVE Betting રેટ? જાણો અહીં
LIVE Betting Rate

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી 20 સીરિઝની પહેલી મેચ ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાશે, જેના પર બધાની નજર છે. આ વર્લ્ડ કપ બાદની પહેલી ક્રિકેટ સીરિઝ છે અને સાથે જ વર્લ્ડ કપની બે ફાઈનલિસ્ટ ટીમો વચ્ચેની ટક્કર છે, જેથી ફેન્સનો ઉત્સાહ આ સીરિઝ પર વધુ જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા સામે જીતવા માટે ફેવરિટ

આ મેચને લઈ ભારતીય ફેન્સ જરૂરથી ઈચ્છશે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઈનલની હારને ભુલાવી આ મેચમાં જીત મેળવે અને ફાઈનલની હારનો બદલો લે, જો કે બેટિંગ રેટ કઈંક અલગ જ કહી રહ્યા છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો રેટ ઓસ્ટ્રેલિયન ટીમ કરતાં વધુ છે, જેનો મતલબ એ થયો કે ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા સામે જીતવા માટે ફેવરિટ છે.

ટીમ ઈન્ડિયાનો રેટ 2.05, ઓસ્ટ્રેલિયાનો રેટ 1.80

મેચ શરૂ થવાના ત્રણ કલાક પહેલાના બેટિંગ રેટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનો રેટ 2.05 ચાલી રહ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો રેટ 1.80 છે. મેચ શરૂ થવાને અમુક કલાક જ બાકી છે એવામાં ટોસ પહેલા આ રેટિંગમાં પરિવર્તન આવી શકે છે, સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમની પ્લેઈંગ 11 બાદ મોટા ફેરફાર થઈ શકે છે.

અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?

વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયાનો મજબૂત રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી20 સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ શહેરના બે મેદાન પર રમાયેલી 4 વનડે અને 1 ટી20માંથી માત્ર એક જ મેચ હારી છે. મતલબ કે તેમણે વિશાખાપટ્ટનમમાં 5માંથી 4 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. આમાં તેમણે છેલ્લી મેચ 249 દિવસ પહેલા 19 માર્ચ 2023ના રોજ વનડે મેચજીતી હતી અને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો : સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્લ્ડકપની હારમાંથી બહાર આવતા હજુ સમય લાગશે, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 4:48 pm, Thu, 23 November 23