ભારત-પાકિસ્તાનની મેચ નવરાત્રિ પર જ થશે તો ભારતની જીત નિશ્ચિત! જાણો 16 વર્ષનો ખાસ રેકોર્ડ

|

Jul 26, 2023 | 9:26 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ 15 ઓક્ટોબરે રમાવાની છે, પરંતુ હવે એવા અહેવાલો છે કે આ મેચની તારીખ બદલાઈ શકે છે. પરંતુ અમે તમને જણાવીએ કે ભારત-પાકિસ્તાનની મેચ માત્ર 15 ઓક્ટોબરે જ યોજવી શા માટે જરૂરી છે?

ભારત-પાકિસ્તાનની મેચ નવરાત્રિ પર જ થશે તો ભારતની જીત નિશ્ચિત! જાણો 16 વર્ષનો ખાસ રેકોર્ડ
India vs Pakistan

Follow us on

ભારત અને પાકિસ્તાન… જ્યારે આ બે દેશોની ક્રિકેટના મેદાનમાં ટક્કર થાય છે, ત્યારે બધાની નજર આ મુકાબલા પર જ હોય છે. તેમ પણ જો મેચ વર્લ્ડ કપની હોય તો શું કહેવું. દુનિયાના કરોડો લોકો પોતાનું કામ છોડીને માત્ર આ મેચ પર નજર રાખે છે.

વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને સામને થવા જઈ રહ્યા છે. આ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાવાની છે, પરંતુ આ મેચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચ બીજી કોઈ તારીખે રમાઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

સુરક્ષાને લઈ તારીખ બદલવાની ચર્ચા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેચ એક દિવસ પહેલા 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે. તેનું કારણ નવરાત્રિ છે, જે 15 ઓક્ટોબરથી શરૂ થવાની છે. ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત હોય છે. આવી સ્થિતિમાં જો 15 ઓક્ટોબરે જ ભારત-પાકિસ્તાન મેચ થાય છે તો સુરક્ષા એજન્સીઓને બંને જગ્યાએ સુરક્ષા આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

15મી તારીખ ભારત માટે શુભ

આ જ કારણ છે કે આ મેચનું શેડ્યૂલ બદલવા માટે મામલો BCCI સુધી પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન મેચ નવરાત્રિના શરૂઆતના દિવસે જ 15 ઓક્ટોબરે યોજાવાની છે. જો આ મેચ 15મી તારીખે થાય છે તો ટીમ ઈન્ડિયા પર આશીર્વાદની વર્ષા નિશ્ચિત છે. ચાલો તમને જણાવીએ શા માટે?

પાકિસ્તાન સામે ભારતનો જોરદાર રેકોર્ડ

છેલ્લા 16 વર્ષમાં પાકિસ્તાન સામેની 15મી તારીખ ભારતીય ટીમ માટે ખૂબ જ લકી સાબિત થઈ છે. 15મીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 ODI મેચ રમાઈ છે અને ત્રણેયમાં ભારતે જીત મેળવી છે. હવે નવરાત્રીના કારણે વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની મેચની તારીખ બદલવાની વાતો થઈ રહી છે એવામાં 15મી તારીખના સંજોગને જોતા આ તારીખ ના બદલાય તો ટીમ ઈન્ડિયાને ફાયદો થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 15મી તારીખે ત્રણ વાર હરાવ્યું

15 નવેમ્બર, 2007ના રોજ ગ્વાલિયરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને આ શ્રેણીની ચોથી મેચ હતી. આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 255 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતીય દાવની શરૂઆત થઈ અને શરૂઆત ઘણી ખરાબ રહી.

ભારતીય ટીમે ગાંગુલી અને ગંભીરની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પાકિસ્તાની બોલરોને શ્વાસ પણ લેવા દીધો ન હતો. સચિને આ મેચમાં 97 રન બનાવ્યા હતા. તે ચોક્કસપણે સદી ચૂકી ગયો હતો પરંતુ ભારતે 21 બોલ પહેલા 6 વિકેટથી મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો : Rich Tennis Players: ઓપન એરાનો સૌથી મહાન ટેનિસ ખેલાડી ‘રોજર ફેડરર’, લોકપ્રિયતા મામલે કોઈ નથી ટક્કરમાં

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો પરાજય

15 જૂન, 2013ના રોજ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને આ વખતે તે 40 ઓવર સુધી પણ વિકેટ પર ટકી શકી ન હતી. ભુવનેશ્વર કુમારે માત્ર 19 રનમાં 2 વિકેટ લીધી હતી.

ઈશાંત, અશ્વિન અને જાડેજાએ પણ 2-2 શિકાર કર્યા હતા. વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો અને ટીમ ઈન્ડિયાને 22 ઓવરમાં 102 રનનો ટાર્ગેટ મળ્યો. ભારતને જીતવામાં કોઈ મુશ્કેલી ન પડી અને મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article