વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણીમાં એક બાદ એક નિષ્ફળતાઓ સહન કર્યા પછી, ઈશાન કિશને (Ishan Kishan) શ્રીલંકા સામેની T20I શ્રેણીની પ્રથમ મેચમાં જોરદાર પુનરાગમન કર્યું. ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશન પર વિશ્વાસ દર્શાવ્યો અને યુવા ડાબા હાથના બેટ્સમેને તોફાની અડધી સદી ફટકારીને આ ભરોસો જાળવી રાખ્યો. પાવરપ્લેમાં જબરદસ્ત પદાર્પણ કરનાર ઈશાને આ પછી પણ પોતાની આક્રમક સ્ટાઈલ જારી રાખી હતી અને પોતાની રમત અડધી સદી સુધી પહોંચી હતી. ઇશાન કિશનની આક્રમક રમતને લઇને ભારતીય ટીમ (Indian Cricket Team) શ્રીલંકા સામે મજબૂત પડકાર સર્જી શકી હતી.
ઈશાને તેની બીજી અડધી સદી માત્ર 30 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી ફટકારી હતી. લગભગ એક વર્ષ પછી તેના બેટમાંથી ટી20 ફિફ્ટી આવી. ગયા વર્ષે માર્ચમાં ડેબ્યૂ મેચમાં તેની પ્રથમ અડધી સદી 30 બોલમાં બની હતી.
ઈશાને કેપ્ટન રોહિત શર્મા સાથે જબરદસ્ત ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંનેએ શ્રીલંકન બોલરોને થકવી દેતી રમત રમી હતી. બંનેએ 111 રનની વિશાળ ભાગીદારી રમત 11.5 ઓવરમાં રમી હતી. જોકે રોહિત શર્મા લાહિરુ કુમારાના નિચા બોલને ઓળખવામાં થાપ ગયો હતો. જે બોલ પર તે 44 રનના વ્યક્તિગત સ્કોર પર ક્લિન બોલ્ડ થયો હતો. ઇશાન કિશને 89 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તેણે 56 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા વડે તોફાની રમત રમી હતી.
ઇશાન કિશન સાથે શ્રેયસ અય્યરે પમ શાનદાર રમત રમી હતી. એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે ઇશાન આક્રમક શતક પૂર્ણ કરી લેશે પરંતુ ઇશાન ની રમત 89 રન પર સમાપ્ત થઇ ગઇ હતી. આ પહેલા ઇશાનને અય્યરે સારો સાથ પુરાવ્યો હતો.
IPL 2022ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 15.25 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ બેટ્સમેનને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની નિષ્ફળતા પાછળ છોડી દીધી અને ફ્રેન્ચાઈઝીના નિર્ણયને સાચો સાબિત કર્યો. ઈશાને ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને 11 ઓવરમાં જ સદીની ભાગીદારી કરી હતી.
Published On - 8:27 pm, Thu, 24 February 22