આગામી સપ્તાહ થી ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે વન ડે સિરીઝનો પ્રારંભ થનારો છે., હાલમાં બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઇ રહી છે. બંને ટીમો ટેસ્ટ સિરીઝમાં 1-1 ની બરાબરી પર છે. વન ડે સિરીઝ પહેલા ભારતીય ટીમમાં જયંત યાદવ (Jayant Yadav) અને નવદિપ સૈની (Navdeep Saini) ને સામેલ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ જણાતા તે દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સિરીઝમાંથી તેને બહાર કરી દેવાયો હતો.
ભારતીય ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે બુધવારે ભારતીય ટીમના ખેલાડીઓ સાથે વન ડે સિરીઝ માટે કેપટાઉન જવાનુ હતુ. આ સાથે જ તેણે વન ડે ટીમ સાથે જોડાવવાનુ હતુ. પરંતુ આ પહેલા જ તે કોરોના સંક્રમિત જણાયો હતો. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ પણ ટેસ્ટ સિરીઝ દરમિયાન પરેશાન છે. તે હેમસ્ટ્રિંગ ઇજાથી પીડાઇ રહ્યો છે.
BCCI એ સિરાજના બેક અપ રુપમાં ઝડપી બોલર નવદીપ સૈનીને વન ડે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ભારત માટે 2 ટેસ્ટ, 8 ODI અને 11 T20 મેચ રમી છે. જ્યારે સુંદરના બદલે જયંત યાદવને સ્થાન આપવામાં આવ્યુ છે.
બીસીસીઆઈએ માહિતી આપી છે કે મોહમ્મદ સિરાજની ઈજા હજુ સંપૂર્ણ રીતે ઠીક થઈ નથી અને તેના માટે વનડે શ્રેણીમાં રમવું મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે સિરાજને જોહાનિસબર્ગ ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.
KL રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, ઋષભ પંત (WK), ઈશાન કિશન (WK), યુઝવેન્દ્ર ચહલ, આર. અશ્વિન, જયંત યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, પ્રશાંત કૃષ્ણ અને મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની.
Published On - 5:54 pm, Wed, 12 January 22