IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના ફુડ મેનુમાં હલાલ મીટ સામેલ કરવાનો મામલો, હવે BJP પ્રવક્તાએ કહ્યુ BCCI નિર્ણય બદલે

કાનપુર ટેસ્ટ (Kanpur Test) પહેલા જ ભારતીય ટીમ (Team India) ના ખેલાડીઓના ફુડ મેનુમાં હલાલ મીટ સામેલ હોવાની વાત સામે આવતા જ હોબાળો મચી ગયો હતો.

IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના ફુડ મેનુમાં હલાલ મીટ સામેલ કરવાનો મામલો, હવે BJP પ્રવક્તાએ કહ્યુ BCCI નિર્ણય બદલે
BCCI
| Edited By: | Updated on: Nov 24, 2021 | 10:11 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે કાનપુરમાં ટેસ્ટ (Kanpur Test) સિરીઝની પ્રથમ મેચ રમાનારી છે. આ પહેલા જ ટીમ ઇન્ડિયા (Team India) ના ખેલાડીઓને અપાનારા ભોજન અને નાસ્તાના મેનુ ને લઇને વિવાદ સર્જાઇ ગયો છે. ટીમ ઇન્ડિયાને પિરસાનારી વાનગીઓમાં હલાલ મીટ (Halal meat) નો ઉલ્લેખ હોવાને લઇને હોબાળો મચી ચૂક્યો છે. જેને લઇને હવે ક્રિકેટ ચાહકોએ તો BCCI સામે સવાલો ઉઠાવ્યા હતા, હવે ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રવક્તા દ્વારા પણ આ પ્રકારના નિર્ણયને પરત લેવા માટે માંગ કરી છે.

કાનપુર ટેસ્ટ દરમ્યાન ખેલાડીઓને હલાલ માંસની વાનગીઓ પિરસવાને લઇને હંગામો શાંત પડી રહ્યો નથી. BCCI દ્વારા પણ આ અંગે કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી શરુઆતમાં આવી નહોતી કે આ ફુડ મેનુ કોના દ્વારા જારી કરવામાં આવ્યુ હતુ. મંગળવારે જ્યારે હલાલ માંસને લઇને મીડિયા અહેવાલ સામે આવવા લાગતા જ ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અને એડવોકેટ ગૌરવ ગોયલે વિડીયો દ્વારા આ ફુડ મેનુમાં સમાવિષ્ટ હલાલ મીટને હટાવી દેવા માટે કહ્યુ છે. ગોયલે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરતા કહ્યુ છે કે, ખેલાડી કંઇ પણ ખાવા ઇચ્છે તે ખાય. તે તેની મરજી છે પરંતુ બીસીસીઆઇ ને આ અધિકાર કોણે આપ્યો કે તે હલાલ માંસ ની ભલામણ કરે. નિર્ણય યોગ્ય થી અને તેને તુરત પરત લેવો જોઇએ.

 

 

આ ફરક છે હલાલ માંસ નો

સામાન્ય રીતે એક મોટો સમુદાય કે જે નોન-વેજીટેરિયન છે તે, ઝટકાંનુ મીટ ઉપયોગ કરે છે. જ્યારે મુસ્લિમ ધર્મના લોકો હલાલ મીટ ખાવા માટે ઉપયોગ કરવાનુ પંસદ કરતા હોય છે. આ બંને પ્રકારના મીટને તૈયાર કરવા માટે જાનવરને અલગ અલગ રીતે કટીંગ કરવામાં આવતુ હોય છે. જેમકે હલાલ મીટ માટે જેતે જાનવરનેી ગળાની નસ કાપીને ત્યાં સુધી છોડી દેવામાં આવે છે. જ્યાં સુધી તેનુ સંપૂર્ણ લોહી શરીરમાંથી વહી ના જાય.

જ્યારે ઝટકાંના મીટ માટે જાનવરના ગળા પર ધારદાર હથીયાર વડે વાર કરીને તુરત જ ગળાને શરીર થી અલગ કરી દેવામાં આવે છે અને આમ તેને મારીને મીટ કટીંગ કરવામાં આવતુ હોય છે. આ બંને પ્રકારના મીટ ની પસંદ ધાર્મિક રીતે પણ અલગ અલગ હોઇ હલાલ મીટને લઇ ધાર્મિક રીતે પણ જોવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: કાનપુર ટેસ્ટમાં જોવા મળશે ‘પટેલ પાવર’, કિવી ટીમ આ ભારતીય ‘ફીરકી’ ને ટીમ ઇન્ડિયા સામે મેદાને ઉતારશે!

આ પણ વાંચોઃ  Cricket: જીવન સંઘર્ષથી ગુસ્સામાં રહેતો મોહમ્મદ શામી નિવૃત્તી જાહેર કરનારો હતો, આ બે ભારતીય દિગ્ગજોએ રોકી લીધો

 

Published On - 9:48 am, Wed, 24 November 21