IND vs ENG: આ દિગ્ગજ ખેલાડી ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ બાદ લઇ શકે છે સન્યાસ, આ ક્રિકેટરે બતાવી યોજના

જેમ્સ એન્ડરસને (James Anderson) પોતાની ટેસ્ટ કારકિર્દીને લંબાવવા માટે 2015 માં વનડે અને T20 ક્રિકેટ છોડી દીધી હતી. તાજેતરના સમયમાં, તે ઇજાઓનો શિકાર પણ બન્યો છે. આ કારણે, એન્ડરસન ખૂબ કાળજીપૂર્વક રમે છે.

IND vs ENG: આ દિગ્ગજ ખેલાડી ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ બાદ લઇ શકે છે સન્યાસ, આ ક્રિકેટરે બતાવી યોજના
Team England
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:58 AM

ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર સ્ટીવ હાર્મિસને (Steve Harmison) મોટી સંભાવના વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે સિનીયર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) જલ્દીથી નિવૃત્ત થઈ શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણી બાદ તે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જેમ્સ એન્ડરસન 39 વર્ષનો છે. તે ટેસ્ટ ક્રિકેટનો સૌથી સફળ ફાસ્ટ બોલર છે. તેણે 600 થી વધુ વિકેટ લીધી છે.

સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં તે મુથૈયા મુરલીધરન અને શેન વોર્ન પછી ત્રીજા નંબરે છે. એન્ડરસન બીજો ઇંગ્લિશ ફાસ્ટ બોલર છે જેણે ઘરેલુ ટેસ્ટમાં 300 થી વધુ વિકેટ લીધી છે. તેના સિવાય સ્ટુઅર્ટ બ્રોડે આ કમાલ કરી છે.

ભારત સામેની વર્તમાન શ્રેણીમાં જેમ્સ એન્ડરસને ત્રણ ટેસ્ટમાં 13 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની સરેરાશ 16.25 અને સ્ટ્રાઇક રેટ 47.7 છે. આ શ્રેણીમાં, તેણે એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની કમાલ પણ કરી છે. આ વર્ષે તે રંગમાં છે. તેણે 19.79 ની સરેરાશથી 30 વિકેટ લીધી છે. તેણે બે વખત એક ઇનિંગમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી.

તેના વિશે, સ્ટીવ હાર્મિસને મીડિયા રિપોર્ટમાં કહ્યું, ‘મને થોડું વિચિત્ર લાગે છે. ખબર નથી કેમ પણ મને ખરેખર લાગે છે કે, જિમી એન્ડરસન ઓલ્ડ ટ્રેફોર્ડ પછી નિવૃત્ત થશે. મને નથી લાગતું કે એશિઝ કરશે. મને લાગે છે કે જિમી એમ જોતો હશે, જો હું ઓવલ જઈશ અને પછી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે છેલ્લી ટેસ્ટ રમીશ. અહીં મારા નામના એન્ડથી બોલિંગ કરતી વખતે, વિરાટ કોહલીને આઉટ કરુ. મારી કારકિર્દીનો અંત આના થી વધુ સારો ના હોઇ શકે. પછી આગામી છ મહિનામાં ભાગ્યે જ એશિઝ કરી શકે છે.

2015માં એન્ડરસને વનડે અને T20 ને છોડી

એશિઝ શ્રેણી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવેમ્બર-ડિસેમ્બરથી રમાનારી છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં કોરોના કેસને કારણે શ્રેણીના ભવિષ્ય પર સંકટ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જેમ્સ એન્ડરસન ટૂંક સમયમાં જ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીને લંબાવવા માટે 2015 માં વનડે અને ટી 20 ક્રિકેટ છોડી દીધી હતી.

તે તાજેતરની ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં રમનારો હતો. પરંતુ પછી તેણે ટેસ્ટ ક્રિકેટમાં ન રમવાના ડરને કારણે આ નિર્ણય છોડી દીધો. તાજેતરના સમયમાં, તે ઇજાઓનો શિકાર પણ બન્યો છે. આ કારણે, એન્ડરસન ખૂબ કાળજીપૂર્વક રમે છે.

 

આ પણ વાંચોઃ Tokyo Paralympics Schedule: મરિયપ્પન થંગાવેલુની નજર સતત બીજા ગોલ્ડ પર, આજે ભારતનું શેડ્યૂલ જાણો

આ પણ વાંચોઃ CPL 2021: હેટમાયરે ડ્વેન બ્રાવો પર તાણ્યુ બેટ, Live મેચમાં ઘટેલી બે ઘટનાઓએ સૌનુ ધ્યાન ખેંચ્યુ, જુઓ Video