VIDEO: એશિયા કપમાં સાપનો ખતરો, ખેલાડીઓની સુરક્ષા અંગે સવાલ વચ્ચે શ્રીલંકા કેવી રીતે કરશે આયોજન?

|

Aug 15, 2023 | 9:41 AM

લંકા પ્રીમિયર લીગની મેચોમાં જે રીતે સાપનો સંકટ જોવા મળ્યો છે, એશિયા કપ દરમિયાન પણ તેને લઈ ખતરો રહેશે. આવી સ્થિતિમાં, મોટો સવાલ એ છે કે શું શ્રીલંકન ક્રિકેટ બોર્ડ મેદાન પર સાપ ન આવે તે માટે કોઈ પગલાં લઈ રહ્યું છે.

VIDEO: એશિયા કપમાં સાપનો ખતરો, ખેલાડીઓની સુરક્ષા અંગે સવાલ વચ્ચે શ્રીલંકા કેવી રીતે કરશે આયોજન?
Sri Lankan

Follow us on

શ્રીલંકા (Sri Lanka)માં એશિયા કપની મેચ દરમિયાન સાપનો ખતરો છે. આવી સ્થિતિમાં ખેલાડીઓની સુરક્ષા એક મોટો પ્રશ્ન છે. એશિયા કપ (Asia Cup 2023) 30 ઓગસ્ટથી રમાવાનો છે, જેમાં 6 દેશોના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. પરંતુ, તે પહેલા જ ત્યાંના ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાપે આતંક મચાવ્યો છે.

લંકા પ્રીમિયર લીગમાં જોવા મળ્યા સાપ

શ્રીલંકા ચાલી રહેલી લંકા પ્રીમિયર લીગ (Lanka Premier League)ની મેચ દરમિયાન 2-3 વખત મેદાન પર સાપ નીકળ્યા હતા, જેમાં લીગમાં રમી રહેલા ખેલાડીઓ નાસી છૂટતા જોવા મળ્યા હતા. હવે સવાલ એ છે કે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ મેચ દરમિયાન ખેલાડીઓને સાપનો સામનો ન થાય તે માટે શું કરી રહ્યું છે?

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શ્રીલંકન ક્રિકેટ બોર્ડ શું પગલાં લેશે?

એશિયા કપની મેચો દરમિયાન સાપને મેદાનમાં પ્રવેશતા અટકાવવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? લંકા પ્રીમિયર લીગમાં સાપના જેટલા મામલા સામે આવ્યા છે તેના પરથી લાગે છે કે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને તેની ચિંતા નથી. તેમણે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. કારણ કે, જો એમ થયું હોત તો સાપ બહાર ન આવ્યા હોત અને મેદાનમાંથી ભાગી ગયા હોત. હવે જો એશિયા કપની મેચો દરમિયાન પણ આ જ સ્થિતિ રહી તો શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સવાલના ઘેરામાં આવી શકે છે.

LPL 2023માં સાપ રખડતા જોવા મળ્યા

તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં રમાઈ રહેલી T20 લીગમાં ગ્રાઉન્ડ પર સાપ રખડતા જોવા મળ્યા છે તો ક્યારેક ટીમના ડગઆઉટ પાસે સાપ જોવા મળ્યા છે. અને તે નાનો સાપ પણ નથી પણ દેખાવમાં મોટો અને ઝેરી છે. હવે જો ખેલાડીઓ ભૂલથી પણ આવા સાપ પર પગ મૂકે તો જરા વિચારો કે શું થશે? તે સ્પષ્ટ છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ માટે જરૂરી પગલાં લેવાનો આ સમય છે. લંકા પ્રીમિયર લીગમાં સાપ મેદાનમાં જોવા મળ્યા બાદ એશિયા કપ દરમિયાન મેદાનમાં સાપ આવી ન જાય તે માટે પગલાં લેવા અંગે ફેન્સ શ્રીલંકન બોર્ડને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા. હવે સવાલ એ છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ શું કરી શકે?

આ પણ વાંચો : IND vs WI T20 Series : હાર્દિક પંડ્યાના પ્રદર્શનનો રિપોર્ટ કાર્ડ, જાણો તેના બેટીંગ-બોલિંગ પ્રદર્શનની સંપૂર્ણ વિગત

શ્રીલંકા બોર્ડે શું કરવું જોઈએ?

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મેદાન પર સાપના જોખમને પહોંચી વળવા માટે સાપ વિરોધી રસાયણોનો છંટકાવ કરવો જોઈએ. આસામ, ભારતના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં IPL મેચો દરમિયાન ઉપયોગમાં લેવાતી પદ્ધતિ બરાબર છે. જણાવી દઈએ કે આસામનું બારસપારા સ્ટેડિયમમાં સાપ નિકડવા માટે પણ પ્રખ્યાત છે. પરંતુ રસાયણોના છંટકાવને કારણે IPL દરમિયાન આ જોવા મળ્યું ન હતું. આ સિવાય શ્રીલંકા ક્રિકેટ બોર્ડે અન્ય પદ્ધતિઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. બોર્ડે આ અંગે સાપ નિષ્ણાતો સાથે વાત કરવી જોઈએ, તેમને આ જવાબદારી સોંપવી જોઈએ, જેથી એશિયા કપમાં રમી રહેલા ખેલાડીઓ પર સાપનો ખતરો ન બને.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article