
લખનૌમાં IPL મેચ બાદ ગૌતમ ગંભીર સાથે થયેલ વિવાદ વચ્ચે આજે વિરાટ કોહલી આગામી મેચ રમવા તેના શહેર એટલે કે દિલ્હી પહોંચી ગયો હતો અને સોશિયલ મીડિયા પર પત્ની અનુષ્કા સાથેની એક ફોટો પોસ્ટ કરી હતી, જેમાં બંને ખુશખુશાલ નજર આવી રહ્યા હતા.IPL 2023માં કોહલીની ટીમ RCBએ અત્યારસુધી 9 મેચ રમી છે, જેમાં 5 માં જીત અને 4 માં ટીમને હાર મળી છે. RCB હાલ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે અને પ્લેઓફ ની રેસમાં હજી યથાવત છે. પોતાની અંતિમ મેચમાં RCBએ LSGને 18 રને હરાવ્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની આગામી મેચ શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. આ મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાવાની છે. કોહલી પણ દિલ્હીનો છે અને તે આ મેચ માટે તેના ઘરે આવી પહોંચ્યો હતો. દિલ્હી પહોંચ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર પત્ની અનુષ્કા સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટો સાથે કોહલીએ કેપ્શન પણ લખ્યું હતું.
Out and about in delhi ❤️ @AnushkaSharma pic.twitter.com/drhI0fnntQ
— Virat Kohli (@imVkohli) May 3, 2023
બેંગલોર અને લખનૌ વચ્ચેની મેચ બાદ મેદાનમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા પર કોહલીની ઘણી ટીકા પણ થઈ હતી. આ વિવાદ વચ્ચે વિરાટ પત્ની અનુષ્કા સાથે દિલ્હી તરફ રવાના થયો હતો.
કોહલી મેદાનમાં તેના અગ્રેસીવ નેચરની સાથે આક્રમક રમત માટે જાણીતો છે. લખનૌ સામેની છેલ્લી મેચમાં તેની આક્રમકતા બધાએ જોઈ, હવે આવી સ્થિતિમાં કોહલીની અંદર ગુસ્સો હશે અને દિલ્હીના બોલરો તેનો શિકાર બની શકે છે. કોહલી પણ જાણે છે કે બેટથી જવાબ કેવી રીતે આપવો. આથી આ વિવાદ બાદ કોહલી બેટથી રનનો વરસાદ કરીને ટીકાકારોને જવાબ આપશે.
કોહલી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તે સતત રન બનાવી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી તે સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા નંબર પર છે. કોહલીએ વર્તમાન IPLમાં અત્યાર સુધી કુલ નવ મેચ રમી છે અને તેણે 364 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં પાંચ અડધી સદી ફટકારી છે. તેની એવરેજ 45.50 અને સ્ટ્રાઈક રેટ 137.87 છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…