ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે એજબેસ્ટન ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. ગયા વર્ષે રમાયેલી શ્રેણીની આ છેલ્લી ટેસ્ટ મેચ છે. જેના પર બધાની નજર ટકેલી હતી. રોહિત શર્મા (Rohit Sharma) ની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ભારતીય ટીમ (Team India) ની આગેવાની કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનર સાથે રમી રહી છે. કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને પ્લેઇંગ-11 નો ભાગ બનાવવામાં આવ્યા ન હતા. ઉમેશ યાદવ, મયંક અગ્રવાલ (Mayank Agarwal), રવિચંદ્રન અશ્વિન, શ્રીકર ભરત જેવા ખેલાડીઓ છે.
જો મયંક અગ્રવાલની વાત કરીએ તો તેને રોહિત શર્માના બેક-અપ ખેલાડી તરીકે ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો. તે પણ ટેસ્ટ મેચ પહેલા પહોંચી ગયો હતો. પરંતુ તેને પ્લેઇંગ-11નો ભાગ બનાવવામાં આવ્યો નથી. ઉપરાંત મયંક અગ્રવાલ T20 અને ODI શ્રેણીનો પણ ભાગ નથી. તેથી તે આ પ્રવાસમાં રમી શકશે નહીં.
મયંક અગ્રવાલને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઈંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો હતો. જેથી જો રોહિત શર્મા ફિટ ન હોય તો તે પ્લેઈંગ-11 માટે ઉપલબ્ધ થઈ શકે. પરંતુ તેને રમાડવામાં આવ્યો ન હતો. તેના બદલે ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે આ ટેસ્ટમાં ઓપનિંગ માટે મેદાન પર ઉતાર્યા હતા.
જો ઉમેશ યાદવની વાત કરીએ તો તે આ ટેસ્ટની શરૂઆત પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચી ગયો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ ઈંગ્લેન્ડ પહોંચી ત્યારે ઉમેશ યાદવ તેનો ભાગ હતો. આ ટેસ્ટ પહેલા ભારતે જે પ્રેક્ટિસ મેચ રમી હતી તેમાં ઉમેશ યાદવ પણ સામેલ હતો. પરંતુ તે એજબેસ્ટન ટેસ્ટનો ભાગ બની શક્યો ન હતો.
શ્રીકર ભરત સાથે પણ આવું જ થયું. જે બેકઅપ વિકેટકીપર તરીકે ઈંગ્લેન્ડમાં હતો. શ્રીકર ભરતે પણ પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ રિષભ પંત (Rishabh Pant) પ્લેઇંગ-11 માટે ફિટ હોવાને કારણે શ્રીકર ભરતને તક મળવી શક્ય ન હતી.
શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ (સુકાની).