IPL 2023 Final અગાઉથી જારી થયેલા શેડ્યૂલ મુજબ 28 મેને રવિવારના રોજ રમાનારી હતી. પરંતુ રવિવારે ટોસ થવા અગાઉ જ અમદાવાદનુ વાતાવરણ પલટાયુ હતુ અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની આવન-જાવનને લઈ મેચ શરુ થઈ શકી નહોતી અને અંતે રવિવારના બદલે રિઝર્વ ડે પર મેચ રમવાનો નિર્ણય જાહેર થયો હતો. પરંતુ સોમવારે રિઝર્વ ડેએ મેચ તો નિર્ધારિત સમયે જ શરુ થઈ હતી, જોકે મેચ ચેન્નાઈની બેટિંગ ઈનીંગની શરુઆત થતા જ અટકી ગઈ હતી. વરસાદ વરસવાને લઈ રમતમાં વિક્ષેપ પડ્યો હતો. મેચ ફરીથી રાત્રીના 12.10 વાગ્યે શરુ થઈ હતી અને ઓવર ઘટાડવામાં આવી હતી.
મેચ મોડી શરુ થવાને લઈ હરભજન સિંહને ગુસ્સો આવ્યો છે. મેચમાં વરસાદ બાદ મેચ જે રીતે મોડી શરુ થઈ હતી તેને લઈ ભજ્જી ગુસ્સામાં જોવા મળ્યો છે. મેચ ચેન્નાઈની બેટિંગ ઈનીંગ શરુઆત થવાના ત્રણ બોલની રમત બાદ તુરત જ રોકાઈ જવા પામી હતી. આ સમયે ચેન્નાઈ સામે 215 રનનુ લક્ષ્ય 20 ઓવરમાં હતુ.
વરસાદ માત્ર પંદરથી વીસ મિનિટ જ વરસ્યો હતો. પરંતુ જેની સામે મેચ છેક રાત્રીને 12.10 કલાકે શરુ થઈ શકી હતી. વરસાદ શરુ થયાના બાદ થોડીક વારમાં રોકાઈ ગયો હતો. પરંતુ આ થોડીવારમાં તેણે મેદાનમાં ચારે બાજુ પાણી પાણી કરી દીધુ હતુ. વરસાદ બંધ થયાના દોઢેક કલાક બાદ મેચ ફરી શરુ થઈ શકી હતી. આમ આટલી બધી વાર લાગવાને લઈ સવાલો પણ થઈ રહ્યા હતા કે, એમ આટલી વાર લાગી હતી.
Rain stops play in Ahmedabad 🌧️🌧️
Stay tuned for further updates.
Scorecard ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/miY8emHBWz
— IndianPremierLeague (@IPL) May 29, 2023
હરભજન સિંહે મેદાન પર પાણી હટાવવાનુ કામ ચાલી રહ્યુ હતુ, ત્યારે જ આ અંગેની વાત કરી હતી. અને બતાવ્યુ હતુ કે, કેમ મેચ મોડી શરુ થઈ હતી. ભજ્જી આ દરમિયાન બતાવ્યુ કે કવર્સ પીચ પર મોડા આવ્યા હતા. જેને લઈ પીચની આસપાસનો હિસ્સો વધારે ભીનો થયો હતો. જેને સુકવતા ખૂબ જ સમય લાગ્યો હતો. આમ હરભજની વાત એમ હતી કે, આગળના દિવસે વરસાદને લઈ પરેશાની થઈ હતી, તો બીજા દિવસે તૈયારીઓ રાખવી જરુરી હતી કે જેથી વરસાદની સ્થિતીમાં મેચ માટે સમય ઓછો ખરાબ થાય.
Published On - 1:29 am, Tue, 30 May 23