
Cricket Controversy : ક્રિકેટ એસોશિએશન ઓફ પુડુચેરીના અંડર-19 કોચ એસ વેંકટરમણની મુશ્કેલીઓ વધી ગઈ છે. પુડુચેરીના એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ પછી પોલીસે વેંકટરમણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ મામલો 8 મહિના જુના એ વિવાદ સાથે જોડાયેલો છે. જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિલેક્શન ન થવા પર આરોપને લઈ કોચ અને ખેલાડીઓ વચ્ચે ઝગડો અને મારપીટ થઈ હતી.
ડિસેમ્બર 2025માં સેદારપેટ સ્થિત સીએપી પરિસરના ઈન્ડોર ટ્રેનિંગ ફેસિલિટીમાં એક હિંસક ઘટના બની હતી. તે સમયે કોચ એસ વેંકટરમણે આરોપ લગાવ્યો હતો કે, રણજી ટ્રોફી ખેલાડી જે કાર્તિકેય. એ અરવિંદરાજ અને એસ સંતોષ કુમારે ટીમમાં સિલેક્શન ન થવા પર જવાબદાર ઠેરવતા તેના પર હુમલો કર્યો હતો.જેનાથી તેના માથા અને ખંભામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ પોલીસે 3 ખેલાડીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને એપ્રિલ 2026માં સીએપીએ તેમના પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આ ઘટના પછી 32 વર્ષના ક્રિકેટર જે કાર્તિકેયને પણ સેદારપેટ પોલીસમાં કોચ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. કાર્તિકેયનનો આરોપ હતો કે,પ્રેક્ટિસ દરમિયાન કોચ વેંકટરમણે તેની સાથે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. બેટ પકડી હુમલો કર્યો અને સ્થિતિને બગાડી હતી. કાર્તિકેયન મુજબ ખેલાડીએ જાણી જોઈને હુમલો કર્યો ન હતો. પરંતુ બચાવમાં ઘટના થઈ હતી.
પોલીસની ખેલાડીઓની ફરિયાદ પર લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન કરવા પર કાર્તિકેયને પોડુચેરીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટIV કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટનો આદેશ મળ્યા પછી સેદારપેટ પોલીસે કોચ એસ વેંકટરમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ખેલાડીઓના વકીલ મુજબ તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને સીએપી સાથે મામલાની નિષ્પક્ષ તપાસ કરવા અને કોચને તરત પ્રતિબંધ કરવાની માંગ કરી છે.