Breaking News : IPLની બાકી રહેલી મેચો ચાહકો વગર મર્યાદિત મેદાનમાં રમાડવાની માંગ

અમેરિકા-ઈરાન યુદ્ધથી ઉભી થયેલી પરિસ્થિતિ હવે આઈપીએલ પર પણ અસર કરી રહી છે. ઈંધણ બચાવવા માટે બાકીની મેચો ફરીથી શેડ્યૂલ કરવાની માંગણીઓ થઈ રહી છે.

Breaking News : IPLની બાકી રહેલી મેચો ચાહકો વગર મર્યાદિત મેદાનમાં રમાડવાની માંગ
| Updated on: May 17, 2026 | 2:49 PM

આઈપીએલ 2026ની શરુઆત 28 માર્ચથી થઈ છે. ત્યારથી અત્યારસુધી ટીમો હવાઈ રસ્તાઓ અનેમાર્ગ દ્વારા લાખો કિલોમીટરની મુસાફરી કરી હશે. જે રીતે ટીમોના શેડ્યુલ છે અલગ અલગ શહેરોમાં મેચ રાખવામાં આવી છે. આને લઈ ધ્યાનમાં લેતા, આ યાત્રા પણ વાજબી છે. પરંતુ હવે અમેરિકા-ઈરાન યુદ્ધની અસર જોતા સ્થિતિ બદલાય છે. આઈપીએલ દરમિયાન હવાઈ મુસાફરી સરકાર પર અતિરિક્ત દબાવ નાંખી શકે છે. આ સમસ્યાને લઈ દિલ્હી અને દેશમાં વેપારીઓ તેમજ ઉદ્યોગસાહસિકોની સર્વોચ્ચ સંસ્થા, ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) ના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને હવાઈ મુસાફરી ઘટાડીને બાકી રહેલી IPL મેચો માટે નવું શેડ્યૂલ જાહેર કરવાની માંગ કરી છે.

આઈપીએલની બાકી રહેલી મેચ ચાહકો વગર કરાવાની માંગ

બૃજેશ ગોયલે રમત મંત્રીને માંગ કરી કે, મેચ સીમિત મેદાન પર ચાહકો વગર કરાવવામાં આવે. તેમણે કહ્યું કે, કોરાના કાળ દરમિયાન પણ આયોજકોએ સીમિત સંખ્યાના મેદાન પર આઈપીએલનું સફળ આયોજન કર્યું હતુ. તેમણે કહ્યું કે, એક મેચમાં સરેરાશ 50000થી અંદાજે ચાહકો આવે છે. જેનાથી હજારો લીટર પેટ્રોલ ડીઝલ ખર્ચ થાયછે. ત્યારે આઈપીએલ ચાહકો વગર કરાવવાથી તેની બચત કરી શકાય છે.

IPL ટીમો દ્વારા તેમની હવાઈ મુસાફરી દરમિયાન કેટલું ઈંધણ વપરાય છે?

CTI મુજબ, IPL ટીમો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ચાર્ટર્ડ વિમાનો, જેમ કે બોઇંગ 737 અથવા એરબસ A320, પ્રતિ કલાક સરેરાશ 2,400 થી 3,000 લિટર ઈંધણ વાપરે છે. આમ, જો ફ્લાઇટ લગભગ બે કલાક ચાલે છે, તો અંદાજિત વપરાશ આશરે 5,000 થી 6,000 લિટર ઉડ્ડયન ઈંધણ (ATF) છે. તેઓએ ઉમેર્યું કે જો વિમાન મોટું હોય અથવા લાંબા અંતર માટે વધુ પેલોડ વહન કરે, તો આ આંકડો 7,000 થી 8,000 લિટર સુધી વધી શકે છે. આ બળતણ વપરાશને પ્રતિ ટીમ આશરે 10 ફ્લાઇટ્સથી ગુણાકાર કરીને, આપણે કહી શકીએ કે દરેક ટીમ આશરે 50,000 થી 70,000 લિટરએવિયશન ફ્યુલ વાપરે છે.

પેટ્રોલ ડીઝલ બચાવવાને લઈ માંગ કરી

એક બાજુ સરકારી વિભાગે,રાજનેતા,અધિકારી, સામાન્ય નાગરિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર ઈંધણ બચાવવાનો પુરેપુરો પ્રયત્ન કરી ર્યા છે. ત્યારે મુશ્કેલ સમયમાં માત્ર આઈપીએલ એક એવું આયોજન થઈ રહ્યું છે. જાણે તેને કોઈ સંકટની પડી નથી. સીટીઆઈ ચેરમેન બૃજેશ ગોયલે કહ્યું કે, સમયની માંગ છે કે,આઈપીએલની બાકી રહેલી મેચનું શેડ્યુલ ફરી વખત બનાવી આ સીમિતિ મેદાન પર ચાહકો વગર આયોજિત કરવામાં આવે. જેનાથી લાખો લીટર ઈંધણ, પેટ્રોલ ડીઝલ બચશે. તેમજ દેશ પર ભાર ઓછો પડશે.

 

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us