Breaking News : છોકરામાંથી છોકરી બનેલી અનયા બાંગર ભાવુક થઈ કહ્યું સફર સરળ ન હતી

સંજય બાંગરની ટ્રાન્સજેન્ડર દીકરી અનાયા બાંગરે જેન્ડર અફર્મિંગ સર્જરી સફળતાપૂર્વક કરી છે. તેમજ તેમણે પોતાની ઓળખને લાંબી યાત્રાનો મહત્વનો તબક્કો જણાવ્યો છે. ખાસ કરીને પિતાના સમર્થને તેમને પોતાની સૌથી મોટી તાકત ગણાવી છે.

Breaking News : છોકરામાંથી છોકરી બનેલી અનયા બાંગર ભાવુક થઈ કહ્યું સફર સરળ ન હતી
| Updated on: Mar 22, 2026 | 9:17 AM

ભારતના પૂર્વ ક્રિકેટર અને કોચ સંજય બાંગરની ટ્રાન્સજેન્ડર દીકરી અનાયા બાંગરે પોતાની જેન્ડર અફર્મિંગ સર્જરી સફળતાપૂર્વક પુરી કરી છે. અનાયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે,તે હાલમાં રિકવરીના તબક્કામાં છે. તેમજ ધીમે-ધીમે સામાન્ય જીવન પર પરત ફરી રહી છે. અનાયાએ પોતાની પોસ્ટમાં ડોક્ટર અને હોસ્પિટલની ટીમનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, આ તેના જીવનની એક લાંબી અને ભાવનાત્મક યાત્રાનો એક મહત્વનો પડાવ છે. તેમણે કહ્યું કે, આ તબક્કા સુધી પહોંચવું સરળ નથી. પરંતુ હવે આ બદલાવને લઈ તે સંતુષ્ટ અને આભાર મહેસુસ કરી રહી છે.

અનાયા પહેલા પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે, આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. તેમણે અંદાજે 5 વર્ષ સુધી આ ઈજા માટે માનસિક અને શારીરિક રુપથી પોતાને તૈયાર કરી છે. આ દરમિયાન તેમમે થેરાપી,મેડિકલ તપાસમાંથી પસાર કરતા આ મહેસુસ કર્યું છે કે, તે પોતાના જન્મના જેન્ડરથી ખુદને સાથે જોડાયેલી સમજતી ન હતી. ત્યારે આ સર્જરી તેની અસલી ઓળખને સ્વીકાર કરીને એક મહત્વનું પગલું લીધું છે.

 

 

 

પરિવારનો સાથ બન્યો સૌથી મોટી તાકાત

આ આખી યાત્રામાં તેમણે પરિવારની સાથે મહત્વનો સમય રહ્યો છે. અનાયાએ પોતાની ભાવુક પોસ્ટમાં લખ્યું કે, આ સફર માત્ર તેની નથી પરંતુ તેના પરિવાર માટે પણ આસાન ન હતી. સ્વીકાર કરી અને તેની સાથે દરેક સમયે ઉભા રહ્યા છે, શરુઆતમાં અનેક સવાલોમાંથી પસાર થયા તેમજ ભાવનાત્મક સફર પણ આવી પરંતુ ધીમે-ધીમે પરિવારે તેને સંપુર્ણ રીતે સ્વીકારી હતી.

તેમણે ખાસ પિતા સંજય બાંગરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેના પિતાનો સાથ તેના માટે સૌથી મોટી તાકત હતી. અનાયાએ લખ્યું પિતાનું સમર્થન જલ્દી મળ્યું ન હતુ પરંતુ જ્યારે મળ્યું તે સાચું અને મજબુત કોઈ પણ શરત વગરનું હતુ. આ સર્જરી દરમિયાન તેનો સપોર્ટ ખુબ જરુરી હતો.તેમણે આગળ લખ્યું કે, આ સર્જરી માટે એક મોટું પગલું છે પરંતુ પિતા સાથે હોવાથી બધું જ સંભવ લાગ્યું હતુ. છેલ્લે તેમણે લખ્યું બદલાવ અને પ્રેમ બંન્ને માટે સમય લાગે છે પરંતુ જ્યારે પણ મળે છે તો તેની કિંમત સૌથી વધારે હોય છે.

 

 

 

સમાજ માટે સંદેશ

અનાયા બાંગર માત્ર ક્રિકેટ સાથે જોડાયેલી રહી છે. પરંતુ ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારીઓનો અવાજ પણ છે. તેનું માનવું છે કે, પરિવારનો સાથ કોઈ પણ ટ્રાન્સ વ્યક્તિ માટે સૌથી મોટી તાકત બની શકે છે. તેની આ યાત્રા સમાજમાં સ્વીકાર્યતા અને સમજને વધારવાની દિશામાં એક સકારાત્મક સંદેશ આપે છે.

ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર આર્યનમાંથી ‘અનાયા’ બની, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us