IND vs BAN: કાનપુર ટેસ્ટ બાદ ખતમ થશે આ સ્ટાર ખેલાડીની કારકિર્દી! અચાનક નિવૃત્તિની કરી જાહેરાત

|

Sep 26, 2024 | 4:10 PM

કાનપુર ટેસ્ટ મેચ પહેલા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને બે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જો કે તે બાંગ્લાદેશ માટે એક ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. કાનપુર ટેસ્ટ મેચ પહેલા શાકિબ અલ હસને પ્રેસ કોન્ફરન્સ કરી નિવૃત્તિ અંગે જાણકારી આપી હતી.

IND vs BAN: કાનપુર ટેસ્ટ બાદ ખતમ થશે આ સ્ટાર ખેલાડીની કારકિર્દી! અચાનક નિવૃત્તિની કરી જાહેરાત
Shakib Al Hasan retired
Image Credit source: PTI

Follow us on

ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને બે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તાત્કાલિક અસરથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધી છે. આ સાથે જ તેણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ટેસ્ટ ફોર્મેટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે.

શાકિબ અલ હસને નિવૃત્તિની કરી જાહેરાત

કાનપુર ટેસ્ટ મેચ પહેલા શાકિબ અલ હસને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન, શાકિબે જાહેરાત કરી કે તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને આવતા મહિને મીરપુરમાં દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું શ્રેણીના અંતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ જો શાકિબ અલ હસનને તે શ્રેણીમાં રમવા માટે સુરક્ષા મંજૂરી નહીં મળે તો કાનપુર ટેસ્ટ મેચ તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ હશે.

ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે?
નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવો રાજેશ આહિરના ગીત સાથે
અહીં મળે છે સસ્તો દારૂ, જાણો શા માટે દરેક રાજ્યમાં દારૂની કિંમત અલગ-અલગ હોય?
તૂટેલા દિલ સિવાય દરેક તૂટેલી વસ્તુને ચીપકાવનાર Fevikwik કેમ તેની બોટલમાં નથી ચીપકતી
Increase Platelets Count : ક્યું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે?
આજનું રાશિફળ તારીખ : 27-09-2024

મીરપુરમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી

શાકિબ અલ હસને કહ્યું, ‘મેં BCBને મારી છેલ્લી ટેસ્ટ મીરપુરમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મેં BCBને આ વાત કહી છે, તેઓ મારી સાથે સહમત છે. તેઓ બધુ ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી હું બાંગ્લાદેશ જઈ શકું. જો આમ નહીં થાય તો કાનપુરમાં ભારત સામેની મેચ ટેસ્ટ ક્રિકેટમાં મારી છેલ્લી મેચ હશે આ સાથે જ શાકિબે T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તે તેની છેલ્લી મેચ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમશે. 2024માં T20 વર્લ્ડ કપ રમ્યો છે.

 

બાંગ્લાદેશના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક

શાકિબ અલ હસનની ગણતરી બાંગ્લાદેશના સૌથી સફળ ખેલાડીઓમાં થાય છે. શાકિબ પણ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 70 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, શાકિબ અલ હસને 4600 રન બનાવ્યા છે, જેમાં 31 અડધી સદી અને 5 સદી સામેલ છે. આ સાથે જ તેણે આ મેચોમાં 242 વિકેટ પણ લીધી છે. જેમાં 19 ઈનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે.

ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે!

જ્યારે, જો આપણે તેની T20I કારકિર્દી વિશે વાત કરીએ, તો તેણે બાંગ્લાદેશ માટે કુલ 129 મેચ રમી છે. આ મેચોમાં શાકિબ અલ હસને 2551 રન બનાવ્યા અને 149 વિકેટ પણ લીધી. આ સિવાય શાકિબ અલ હસને બાંગ્લાદેશ માટે 247 વનડે મેચ પણ રમી છે. જેમાં તેના નામે 7570 રન અને 317 વિકેટ છે. પરંતુ તેણે ODI ફોર્મેટ અંગે કોઈ અપડેટ આપી નથી. આવી સ્થિતિમાં તે આ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચો: અંગદ-નેહા ધૂપિયાએ બિશન સિંહ બેદીની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું, દિગ્ગજ ક્રિકેટરો એકઠા થયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:00 pm, Thu, 26 September 24

Next Article