
ICC T20 વર્લ્ડ કપ 2026 ચાલી રહ્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયાને ઝટકો આપતા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર કેપ્ટન સૂર્યકુમાર યાદનની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ સમગ્ર વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન તેમના પરિવારને સાથે રાખવાની પરવાનગી માગી હતી, જેને BCCI એ ફગાવી દીધી છે. જો કે બોર્ડ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં નથી આવ્યુ પરંતુ કોચ ગૌતમ ગંભીરના કડક વલણને જોતા આ નિર્ણય ઘણો ચર્ચાનો વિષય બન્યો છે.
BCCI તેની પોલિસી પર કાયમ છે કે T20 વર્લ્ડ કપ કેમ્પેઈન દરમિયાન ખેલાડીઓને તેમના પરિવારસ સાથે રહેવાની છૂટ નહીં હોય. BCCI ના નિયમ મુજબ 45 દિવસથી વધુ ચાલનારી સિરીઝજ કે ટુર્નામેન્ટ માટે પરિવારના સદસ્ય ખેલાડી સાથે 14 દિવસ સુધી રહી શકે છે. જ્યારે નાની ટૂર માટે આ મર્યાદા ઘટાડીને માત્ર સાત દિવસ કરી દેવાઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ મેનેજમેન્ટે ક્રિકેટરોના પરિવારોને તેમની સાથે રહેવા દેવા અંગે સ્પષ્ટકા માગી હતી પરંતુ બોર્ડે સ્પષ્ટ કર્યુ કે પરિવાર ખેલાડીઓને સાથે રાખી શકશે નહીં. રિપોર્ટમાં સૂત્રના હવાલે જણાવાયુ છે કે પરિવાર ખેલાડીઓની સાથે રહેશે નહીં જો કે તેઓ ઈચ્છે તો તેના માટે અલગથી વ્યવસ્થા કરી શકે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 4:46 pm, Tue, 10 February 26