
India Womens squad, Asian Games 2026 : એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. પંસદગીકર્તાએ એક મોટો નિર્ણય લઈ મહિલા ટી20 વર્લ્ડકપમાં રમનારી વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાને ટીમમાંથી બહાર કરી છે. રસપ્રદ વાત એ છે કે, ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. તો વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના છે. ટી20 વર્લ્ડકપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલી ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલની પણ ટીમમાં પસંદગી થઈ છે. પરંતુ જો તે ફિટ થશે તો જ આ ટૂર્નામેન્ટમાં રમી શકશે. શ્રેયંકા પાટિલ મહિલા ટી20 વર્લ્ડકપ દરમિયાન પગમાં ઈજા થઈ હતી.
હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ધોષ, જી કમલિની, ભારતી ફુલમાલી, શ્રી ચરણી, રેણુકા ઠાકુર,ક્રાંતિ ગૌડ, અરુંધતિ રેડ્ડી,શ્રેયંકા પાટિલ ,રાધા યાદવ અને નંદિની શર્મા
હવે સવાલ એ છે કે, યાસ્તિકા ભાટિયાને ટીમ ઈન્ડિયામાંથી બહાર કેમ કરવામાં આવી છે. આનું એક મોટું કારણ તેનું પ્રદર્શન છે. આ ખેલાડી ટી20 વર્લ્ડકપમાં 3 મેચમાં માત્ર 41 રન બનાવી શકી હતી. તેની સરેરાશ 13.66 અને સ્ટ્રાઈક રેટ 117.14 રહ્યો હતો. પરંતુ જેમિમા રોડ્રિગ્સનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતુ. તે પાંચ મેચમાં 92 રન જ બનાવી શકી હતી. પરંતુ એશિયન ગેમ્સની ટીમ ઈન્ડિયામાં રાખવામાં આવી છે.
ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ ટી20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન છતાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ યથાવત રાખી છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, 2023માં હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી 116 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ જવાબમાં 97 રન જ બનાવી શકી હતી. આ ટૂર્નામેન્ટમાં જેમિમાહે સૌથી વધારે 109 રન બનાવ્યા હતા.
Published On - 11:17 am, Tue, 30 June 26