
ભારતીય રાજકારણમાં (Indian Politics)પ્રેમથી ‘બાઉજી’ તરીકે ઓળખાતા નવલ કિશોર શર્માએ (Nawal Kishore Sharma) રાજકારણમાં લાંબો સમય પસાર કર્યો હતો. તેઓ વિદ્યાર્થી કાળથી જ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ ભજવી ચૂક્યા હતા. તેમણે પાંચ વખત સંસદીય ચૂંટણી જીતી હતી. રાજકારણમાં સક્રિય હોવાની સાથે સાથે તેઓએ સાહિત્યમાં પણ ઘણું પ્રદાન આપ્યું છે. તેમની કારર્કિર્દીની શરૂઆત દૌસાથી થઈ હતી. જેમણે જુલાઈ 2004થી જુલાઈ 2009 સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.
દૌસમાં 5 જૂલાઈ 1925માં જન્મેલા નવલ કિશોર શર્માના પિતાનું નામ મૂળચંદ શર્મા અને માતાનું નામ મુન્ની દેવી શર્મા હતું.
નવલ કિશોર શર્માએ B.A અને LL.B કર્યું હતું. મહારાજા કોલેજ, જયપુર અને આગ્રા યુનિવર્સિટી, આગ્રામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ (ઉત્તર પ્રદેશ)માંથી સાહિત્યિક કાર્ય પણ કર્યું.
તેઓ સંયોગથી રાજકારણમાં પણ પ્રવેશ્યા હતા અને રાજકારણની લાંબી ઈનિંગ્સ રમ્યા હતા. દિલ્હી કોંગ્રેસમાં તેમની સારી પકડ હોવાનું માનવામાં આવતું હતું. રાજકીય કારર્કિર્દી દરમિયાન તેઓ ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યપાલ જેવા મહત્વના પદો પર પહોંચ્યા. તેઓ દૌસા, અલવર અને જયપુર ગ્રામીણમાંથી 5મી, 7મી, 8મી અને 11મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓમાંના એક હતા. જીવનમાં જીત અને હાર બંનેનો સ્વાદ ચાખનાર પંડિતજી 1991ની ભાજપની લહેરથી ચૂંટણી હારી ગયા. પંડિત નવલ કિશોર શર્માએ તેમના એન્જિનિયર પુત્ર બ્રિજકિશોર શર્માને રાજકારણમાં પ્રવેશ કરાવ્યો હતો અને જયપુર શહેરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને અશોક ગેહલોતની સરકારમાં શિક્ષણ પ્રધાન બનવા માટે તેમને જીતાડ્યા હતા.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક પહેલા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મહાસચિવ હતા. તેઓ 1998થી 2003 સુધી રાજસ્થાન વિધાનસભાના સભ્ય અને સ્પીકર પણ હતા. તેઓ 1985માં કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હતા. સંસદસભ્ય તરીકે તેમણે સમગ્ર ભારત અને વિદેશમાં અસાધારણ પ્રવાસો કર્યાં હતા, પંડિત નવલ કિશોર શર્માનું 88 વર્ષની ઉંમરે લાંબી બીમારીને કારણે 8 ઓક્ટોબર 2012ના રોજ રાત્રે 11:15 વાગ્યે ફોર્ટિસ હોસ્પિટલ, જયપુરમાં અવસાન થયું.
દૌસામાં સરકારી કોલેજનું નામ પંડિત નવલ કિશોર શર્માના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમના નામ પરથી કોમ્યુનિટી હોલ, તેમજ બગીચાનું નામ કરણ કરવામાં આવ્યું છે. જયપુરમાં આગ્રા રોડ પર દૌસા તરફ જતા ક્રોસરોડને નવલ કિશોર શર્મા સર્કલ નામ આપવામાં આવ્યું છે.