West Bengal Election Result 2021 : West Bengalમાં મમતા બેનર્જીની પાર્ટીએ ફરી એકવાર વિજયની હેટ્રિક લગાવવા તરફ છે. દીદીના ગઢમાં ભાજપ દ્વારા સત્તા મેળવવાનું સ્વપ્ન હકીકતમાં પરિવર્તિત ના થઇ શક્યું. West Bengal માં ટીએમસી 200માં આંકને વટાવી ગયું છે. જ્યારે ભાજપ માત્ર 80 બેઠકની આસપાસ રહે તેવી શક્યતા છે. જેમાં બંગાળમાં ભારે બહુમતી મળી રહી છે તેની બાદ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો. તેમજ લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ પણ કરી છે. આ દરમ્યાન સામે આવેલા સમાચાર મુજબ મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા છે. તેમજ ભાજપના ઉમેદવાર શૂવેન્દુ અધિકારીની જીત થઈ છે. શૂવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 1953 મતથી હરાવ્યા છે.
સીએમ મમતા બેનર્જીએ તેમના સમર્થકોને અપીલ કરતાં કહ્યું કે તેમણે વિજય સરઘસ નિકાળવું જોઈએ. તેની સાથે લોકોને પણ કોરોના પ્રોટોકોલ પર ધ્યાન આપવાની અપીલ કરી છે. દીદીએ કહ્યું કે સરકારની પહેલી પ્રાથમિકતા કોરોનાને કાબૂમાં લેવાની છે. તેમણે કહ્યું કે માત્ર બંગાળ જ બંગાળને જીતી શકે છે.
વિજય માર્ચ ન નિકાળવા અપીલ
મમતા બેનર્જીએ તેમના સમર્થકોને અપીલ કરી છે કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને વિજય સરઘસ ના નિકાળો. તેમણે કાર્યકરોને કહ્યું કે દરેક વ્યક્તિએ તેના ઘરે જવું જોઇએ. તેમજ જીત બદલ સૌનો આભાર માન્યો હતો.
West Bengal માં મમતા બેનર્જીની પાર્ટીનો જીતનો રસ્તો સ્પષ્ટ થતાંની સાથે જ તેમને અભિનંદન આપનારા લોકોની લાઇન લાગી હતી. જેમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે જ નહીં, ભાજપના વરિષ્ઠ નેતા કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે પણ દીદીને બંગાળ જીત બદલ અભિનંદન આપ્યા હતા. આ સાથે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા.
Published On - 7:02 pm, Sun, 2 May 21