સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણિયમ સ્વામીએ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ, જાણો શું છે શશિ થરૂરની પત્નીના મોતનો કેસ

|

May 25, 2019 | 5:28 PM

સુનંદા પુષ્કર મોત કેસમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં કરેલી અરજીને નામંજૂર કરી દીધી છે. સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે અરજીમાં કહ્યું કે તપાસમાં કથિત રીતે ગરબડ કરવાની વાતને વિજિલેન્સ રિપોર્ટના રેકોર્ડમાં લેવા માટે પોલીસને આદેશ આપવા અનુરોધ કર્યો હતો. આ પણ વાંચોઃ દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા […]

સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણિયમ સ્વામીએ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ, જાણો શું છે શશિ થરૂરની પત્નીના મોતનો કેસ

Follow us on

સુનંદા પુષ્કર મોત કેસમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં કરેલી અરજીને નામંજૂર કરી દીધી છે. સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે અરજીમાં કહ્યું કે તપાસમાં કથિત રીતે ગરબડ કરવાની વાતને વિજિલેન્સ રિપોર્ટના રેકોર્ડમાં લેવા માટે પોલીસને આદેશ આપવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

સ્પેશિયલ જજ અરૂણ ભારદ્વાજે સ્વામીની અરજીને નામંજૂર કરતા કહ્યું કે તેનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂર પર ધારા 498એ અને 306 મુજબ આરોપ ઘડાયા છે.  કોર્ટે એવું પણ કહ્યું કે અરજીકર્તાનો ન તો આ કેસ સાથે કોઈ સંબંધ છે ન તો અદાલત આ મામલે આગળ તપાસમાં કોઈ આદેશ આપી શકે તેમ નથી. શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ની રાતે હોટલના એક રૂમમાંથી મૃતહાલતમાં મળ્યા હતા. જેને લઈ શશિ થરૂર પર આરોપ છે કે તેમણે સુનંદાને આપઘાત કરવા માટે મજબૂર કરી હતી અને માનસિક પીડા આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મોતના એક દિવસ પહેલા સુનંદા પુષ્કર અને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર વચ્ચે ટવીટ પર શાબ્દીક પ્રહારો થયા હતા. તે અગાઉ શશિ થરૂરના આ જ પાક. પત્રકાર સાથે સંબંધ હોવાનો આક્ષેપ લાગ્યો હતો.

Published On - 5:27 pm, Sat, 25 May 19

Next Article