ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે, મહિલા કલ્યાણ યોજના જાહેર કરી છે. મહિલા કલ્યાણ યોજના હેઠળ, ઝીરો ટકા વ્યાજે 10 લાખથી વધુ માતાઓ બહેનોને લોન ધિરાણ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ 17મી સપ્ટેમ્બરથી મહિલા કલ્યાણ યોજના ગુજરાતમાં લાગુ પડશે.
રાજ્યમાં 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનામાં લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખની લોન કેધિરાણ, રાજ્યની સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. ગુજરાત સરકાર આ યોજના હેઠળ કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે.
ટુંક સમયમાં જ બેંકો સાથે આ યોજના અંગેના એમઓયુ કરવામાં આવશે તેવી પણ જાહેરાત ગુજરાત સરકારે કરી છે. નોંધાયેલ મહિલા જૂથને આ યોજનાનો લાભ મળશે. જેમાં 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે અને તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોના 50 હજાર, અને શહેરી ક્ષેત્રના 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાશે, જ્યારે શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન કરશે અમલ.
આ પણ વાંચોઃઅમદાવાદમાંથી 1 કરોડનુ MD ડ્રગ્સ પકડ્યુ, પોલીસ કર્મી સહિત 4 ઝડપાયા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:27 pm, Sun, 13 September 20