જાણો કેમ ડુંગળીના ભાવ નથી ઘટી રહ્યાં? કેન્દ્ર સરકારે કર્યો આ મોટો ખૂલાસો

|

Jan 14, 2020 | 3:39 PM

ડુંગળીને લઈને હવે વિવાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે શરૂ થયો છે. દેશમાં ડુંગળીના ભાવને લઈને ભારે વિરોધ થયો હતો. આ બાદ સરકારે ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યું હતું. 42 હજાર ટન ડુંગળી ભારતમાં આવી ચૂકી છે અને હવે કેન્દ્ર સરકાર કહી રહી છે કે રાજ્યો આ ડુંગળીને ખરીદવા જ તૈયાર નથી. કેન્દ્ર સરકાર […]

જાણો કેમ ડુંગળીના ભાવ નથી ઘટી રહ્યાં? કેન્દ્ર સરકારે કર્યો આ મોટો ખૂલાસો

Follow us on

ડુંગળીને લઈને હવે વિવાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે શરૂ થયો છે. દેશમાં ડુંગળીના ભાવને લઈને ભારે વિરોધ થયો હતો. આ બાદ સરકારે ડુંગળીની આયાત કરવાનું નક્કી કર્યું હતું. 42 હજાર ટન ડુંગળી ભારતમાં આવી ચૂકી છે અને હવે કેન્દ્ર સરકાર કહી રહી છે કે રાજ્યો આ ડુંગળીને ખરીદવા જ તૈયાર નથી. કેન્દ્ર સરકાર રાજ્યોને 55 રૂપિયા પ્રતિકિલોના ભાવે ડુંગળી આપવા તૈયાર છે. આ સિવાય કેન્દ્ર સરકાર ડુંગળીને રાજ્યમાં પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ભોગવી રહી છે તો પણ રાજ્યો ડુંગળીની ખરીદીમાં રૂચી દાખવી રહ્યાં નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમિત શાહ, PM મોદી અને RSS પર ટિપ્પણી કરવાને અંગે આ ઈતિહાસકારને નોટિસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આ અંગે માહિતી આપી કે 18500 ટન ડુંગળી ભારત આવી ચૂકી છે. જો કે આ ડુંગળીમાંથી ફક્ત રાજ્યોએ 2 હજાર ટનની જ ખરીદી કરી છે. સરકારને ચિંતા છે કે ગોડાઉનમાં પડી પડી આ ડુંગળી સડી ના જાય. આમ કેન્દ્ર રાજ્યોને અપીલ કરી રહ્યું છે કે બજારમાં 60-70 રુપિયાની ડુંગળીના બદલે કેન્દ્ર સરકાર પાસેથી 55 રુપિયા પ્રતિકિલોની રકમે ડુંગળીની ખરીદી કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રામવિલાસ પાસવાને વધારે માહિતી આપતા જણાવ્યું કે જો રાજ્ય સરકાર ડુંગળીની ખરીદી જ નહીં કરે તો કેવી રીતે ભાવને કાબૂમાં લાવી શકાશે. જો કોઈ ખરીદશે નહીં તો આ ડુંગળી ગોડાઉનમાં સડી જશે. આ બધાની વચ્ચે ગુજરાતમાંથી એવી ખબર આવી હતી કે લોકોને બહારથી આયાત કરેલી ડુંગળીનો સ્વાદ પસંદ આવતો નથી. તે સ્વાદમાં ફિક્કી લાગે છે અને તેના લીધે લોકો આવી ડુંગળી ખરીદવાનું ટાળે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article