વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેઓ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે. PM મોદિ બપોરે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને 10 હજાર લોકોને એરપોર્ટ પર સંબોધીત કરશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટનો ઝટકો
વડપ્રધાનના આગમનને લઈને એરપોર્ટ ખાતે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ગાંધીજીની જન્મજંયતીનાં પ્રસંગે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની મુલાકા લેશે. ત્યારબાદ તેઓ રિવરફ્રન્ટ ખાતે 20 હજાર સરપંચોની પણ મુલાકાત લેશે. આગળના કાર્યક્રમમાં તેઓ રાત્રે GMDC ગ્રાઉન્ડમાં ગરબા માણશે. મહત્વનું છે કે વાયબ્રન્ટ ગરબાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. PMના આગમનને લઇને SPG ટીમે તમામ સ્થળો પર ચેકીંગ શરૂ કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો