PM મોદીએ એક ટવીટ કરીને ટ્વીટર છોડવાની વાત કરી દીધી છે. તેઓએ રવિવાર સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવાની વાત કરી છે. તેઓએ ટ્વીટમાં લખ્યું કે આ રવિવારે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યુબ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યો છું. તમને બધાને પોસ્ટ કરતો રહીશ. તેઓએ પોતાના વ્યક્તિ ટ્વીટર હેન્ડલના માધ્યમથી આ જાણકારી આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
— Narendra Modi (@narendramodi) March 2, 2020
આ પણ વાંચો : સુરતમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ: કતારગામ પોલીસ મથક બહાર લોકોએ કર્યો હોબાળો
વડાપ્રધાન મોદીના આ ટ્વીટ બાદ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અમુક લોકો આ પહેલને આવકારી રહ્યાં છે તો અમુક લોકો આવું ન કરવાની સલાહ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર મોદીના 5 કરોડ 33 લાખ જ્યારે ફેસબુક પર 4 કરોડ 45 લાખ ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 3 કરોડ 52 લાખ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો