નરેન્દ્ર મોદી શપથ લઈને વડાપ્રધાન તો બની ગયા પણ કાશીના વિદ્ધાનોની આ વિનંતીને ના સ્વીકારી!

|

May 30, 2019 | 4:42 PM

ગુરુવારના રોજ નરેન્દ્ર મોદીએ ફરીથી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય આયોજન કરાયું હતું તેમાં 6000 મહેમાનની સાથે તેમણે શપથ લીધા. કાશી નગરી સંસ્કૃતના વિદ્ધાનો માટે પ્રખ્યાત છે અને નરેન્દ્ર મોદી કાશીથી જ ચૂંટણી જીત્યા હોવાથી તેમને વિનંતી કરવામાં આવી હતી કે આ વખતે શપથ તેઓ સંસ્કૃત ભાષામાં લે. શ્રીકાશી વિદ્ધતપરિષદ દ્વારા […]

નરેન્દ્ર મોદી શપથ લઈને વડાપ્રધાન તો બની ગયા પણ કાશીના વિદ્ધાનોની આ વિનંતીને ના સ્વીકારી!

Follow us on

ગુરુવારના રોજ નરેન્દ્ર મોદીએ ફરીથી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય આયોજન કરાયું હતું તેમાં 6000 મહેમાનની સાથે તેમણે શપથ લીધા. કાશી નગરી સંસ્કૃતના વિદ્ધાનો માટે પ્રખ્યાત છે અને નરેન્દ્ર મોદી કાશીથી જ ચૂંટણી જીત્યા હોવાથી તેમને વિનંતી કરવામાં આવી હતી કે આ વખતે શપથ તેઓ સંસ્કૃત ભાષામાં લે.

શ્રીકાશી વિદ્ધતપરિષદ દ્વારા નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી હતી કે કાશીથી પ્રતિનિધિ હોવાથી તેઓ દેવ ભાષા સંસ્કૃતમાં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરે. વિદ્ધત પરિષદની બેઠક બાદ આ પત્રને લઈને એવી આશા રાખવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી કાશી વિદ્ધાનોની આ  વિનંતીને સ્વીકારી લેશે અને વડાપ્રધાન પદના શપથ સંસ્કૃત ભાષામાં લેશે. આ બાબતે એક પત્રની સાથે મેઈલ પણ મોકલવામાં આવ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા, જુઓ VIDEO

30મેના રોજ સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ હિંદીભાષામાં લીધા અને કાશીના વિદ્ધાનો વિનંતીને સ્વીકારી નહીં. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જ્યાં પણ જાય છે ત્યાંની ક્ષેત્રીય ભાષામાં સંવાદ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ આરએસએસ સાથે જોડાયેલા હોવાથી તેમની સંસ્કૃત ભાષા પર પણ સારી એવી પકડ છે તેવું માનવામાં આવી રહ્યું છે.

 

TV9 Gujarati

 

જ્યારે 2014માં મોદી સરકાર બની ત્યારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, જળ અને પર્યાવરણ મંત્રી ઉમા ભારતી અને ચાંદની ચોકથી સાસંદ હર્ષવર્ધને સંસ્કૃત ભાષામાં આ શપથ લીધા હતા. ભારતીય સંવિધાનમાં આઠ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આ ભાષાઓમાંથી કોઈપણ ભાષામાં શપથ લઈ શકાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:39 pm, Thu, 30 May 19

Next Article