વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં જઈ ગંગામાં લગાવી ડુબકી ? શું છે વાયરલ થયેલી પીએમ મોદીની ડુબકી લગાવતા દર્શાવતી તસવીરનું રીયલ સત્ય ? જાણવા માટે CLICK કરો

|

Jan 19, 2019 | 2:52 PM

પ્રયાગરાજમાં કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને પ્રસંગને અનુરૂપ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાણીમાં ડુબકી લગાવી રહ્યાં છે. તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં જઈ ગંગા સ્નાન કર્યું છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં જઈ ગંગામાં લગાવી ડુબકી ? શું છે વાયરલ થયેલી પીએમ મોદીની ડુબકી લગાવતા દર્શાવતી તસવીરનું રીયલ સત્ય ? જાણવા માટે CLICK કરો

Follow us on

પ્રયાગરાજમાં કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને પ્રસંગને અનુરૂપ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાણીમાં ડુબકી લગાવી રહ્યાં છે. તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં જઈ ગંગા સ્નાન કર્યું છે.

શું આ સાચુ છે કે નરેન્દ્ર મોદી પહેલી વાર કુંભ મેળામાં ગયા અને ડુબકી લગાવી ? આવો આ વાયરલ ખબરની રીયલ સ્ટોરી જાણવાનો પ્રયત્ન કરીએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાયરલ થઈ રહેલી પીએમ મોદીની તસવીરને We Support Nationalism નામે બનેલા ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટ કર્યાની થોડીક જ ક્ષણોમાં આ તસવીરને 400થી વધુ લોકોએ શૅર કરી નાખી હતી. આ પોસ્ટ પર લખેલું છે, ‘ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી કુંભ મેળામાં ડુબકી લગાવતાં.’

ફેસબુક પેજ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો આ તસવીરને પર્સનલ પેજ પર પણ શૅર કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીની વાયરલ થતી આ તસવીરને ફેસબુકના ઘણા પેજ અને ગ્રુપ પર મોટી સંખ્યામાં શૅર કરવામાં આવી રહી છે.

સાચું શું ને ખોટું શું ?

હકીકતમાં પીએમ નરેન્દ્ર મોદીની વાયરલ થયેલી આ તસવીર વર્ષ 2004ની છે. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં. મોદીએ ઉજ્જૈનમાં યોજાયેલ સિંહસ્થ કુંભમાં ભાગ લીધો હતો અને શિપ્રા નદીમાં ડુબકી લગાવી સ્નાન કર્યુ હતું.

સિંહસ્થ કુંભ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. દર 12 વર્ષે ઉજ્જૈનમાં શિપ્રા નદીના કાંઠે સિંહસ્થ કુંભ મેળાનું આયોજન થાય છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો સ્નાન કરે છે.

જ્યારે 2004માં મોદીએ શિપ્રામાં સ્નાન કર્યુ હતું, ત્યારે દેશના તમામ મીડિયાએ આ સમાચાર પ્રસારિત-પ્રકાશિત કર્યા હતાં.

[yop_poll id=688]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:50 pm, Sat, 19 January 19

Next Article