હવે ભાજપમાં ગૃહયુદ્ધ: શું 2019માં યોગી અને મોદી જ આવશે એકબીજાની સામસામે ?

|

Dec 12, 2018 | 10:57 AM

11 ડિસેમ્બરના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ દેશના રાજકારણમાં જાણે નવી જ હવા ઊભી થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની હાર પછી કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ એકજૂથ થઈ રહ્યા છે તો ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ઉ.પ્રદેશના પાટનગર લખનઉમાં કેટલાંક પોસ્ટર લાગ્યા છે. જેમાં ‘યોગી […]

હવે ભાજપમાં ગૃહયુદ્ધ: શું 2019માં યોગી અને મોદી જ આવશે એકબીજાની સામસામે ?

Follow us on

11 ડિસેમ્બરના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ દેશના રાજકારણમાં જાણે નવી જ હવા ઊભી થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની હાર પછી કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ એકજૂથ થઈ રહ્યા છે તો ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ઉ.પ્રદેશના પાટનગર લખનઉમાં કેટલાંક પોસ્ટર લાગ્યા છે. જેમાં ‘યોગી ફોર PM’ લખવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં વિવિધ સ્થાનો પર લાગ્યા પોસ્ટર

આ પોસ્ટરમાં એક તરફ વડાપ્રધાન મોદીનો ફોટો મુકવામાં આવ્યો છે લખનઉમાં રાતોરાત યોગી ફોર PM ના હોર્ડિંગ્સ ઠેર ઠેર લાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કેટલાક સ્થળે આ હોર્ડિગં લગાડાયા હતા.

મોદી Vs યોગીના પોસ્ટરથી ગરમ થયું રાજકારણ

આ પોસ્ટરમાં એવું કહેવામાં આવ્યું છે કે, 10 ફેબ્રુઆરીએ લખનઉમાં ધર્મ સંસદના આયોજનનો ઉલ્લેખ હતો. ઉત્તરપ્રદેશની નવ નિર્માણ સેનાએ લગાવેલા પોસ્ટરમા મોદીને ‘જુમલેબાજ’ અને યોગીને ‘હિન્દુત્વની બ્રાન્ડ’ તરીકે બતાવવામાં આવ્યા બાદ પોલીસે તરત જ પોસ્ટરો ઉતારીને તપાસ શરુ કરી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ પણ વાંચો : મુખ્યમંત્રીની પસંદગી માટે રાહુલ ગાંધીએ શરૂ કરી ‘મન કી બાત’ ?

પ્રારંભિક પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે, આ પોસ્ટર અખિલેશ યાદવથી જુદા પડેલા શિવપાલ યાદવની નજીકના વ્યક્તિ અમિત જાનીએ લગાવડાવ્યા છે. તેમણે આ માટે એક વીડિયો સોશિયલ મીડિયા પર મુકીને પોસ્ટર લગાવવાને વ્યાજબી ઠેરવવાનો પણ પ્રયાસ કર્યો છે. અગાઉ અમિત જાની પહેલા પણ વિવાદોમાં રહ્યા છે.આ પહેલા માયાવતીની મૂર્તિ તોડવાના મામલામાં તેમનુ નામ ઉછળ્યુ હતુ.

Published On - 10:57 am, Wed, 12 December 18

Next Article