ભારત અને ઈઝરાયલ બંને દેશોમાં ચૂંટણીઓ ચાલી રહી છે. ઈઝરાયલમાં પણ બેંજામીન નેત્યાહુ જે ત્યાં 4 વખત વડાપ્રધાન બની ચૂક્યા છે. હવે આ ચૂંટણીમાં પાંચમી વખત પણ તેઓ વડાપ્રધાન બનવાની હરોળમાં ઉભા છે. બેંજામીન પોતાને ઘણીવખત દેશના મિસ્ટર સિક્યુરીટી કહીને બોલાવે છે.
ભારત અને ઈઝરાયલ વચ્ચે એક મુદ્દો જે એકસરખો જોવા મળી રહ્યો છે તે રાષ્ટ્રવાદનો છે. આ વખતે ભાજપ પણ રાષ્ટ્રવાદના મુદ્દાને પોતાના મેનિફેસ્ટો જેને સંકલ્પ પત્ર નામ આપ્યું છે તેમાં લઈને આવી છે. બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો ભારત અને ઈઝરાયલ વચ્ચે હોય તો તે આતંકવાદનો છે. ભારત અને પાકિસ્તાન સાથેના વિવાદો છે તો ત્યાં ઈઝરાયલને ફિલિસ્તાન અને આજુબાજુના ઘણાં દેશો સાથેના વિવાદો હાલમાં પણ છે.
ઈઝરાયલમાં 9 એપ્રિલના રોજ સામાન્ય મતદાન થઈ ગયું છે જ્યારે ભારતમાં 11 એપ્રિલથી મતદાન થવા જઈ રહ્યું છે. ભારતમાં વડાપ્રધાન પોતાને દેશના ચોકીદાર ગણાવે છે તો ઈઝરાયલમાં ત્યાના વડાપ્રધાન બેંજામીન નેત્યાહુ પણ પોતોને દેશના મિસ્ટર સિક્યુરીટી ગણાવી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]