તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત અચાનક ખરાબ થઈ. નુસરત જહાને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જેના કારણે નુસરત જહાં શિયાળુ સત્રમાં પણ હાજરી આપી શકી નહીં.
આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી વખત 2 લાખ પાર પહોંચી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નુસરત જહાં હાલ ICUમાં દાખલ છે. જો કે તેની તબિયત સ્થિર છે. નુસરત જહાંના પ્રવક્તા અભિષેક મજમુદાર અનુસાર તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. ગઇકાલે નુસરત જહાંને અપોલો ગ્લેન્જલ્સ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. સૂત્રો મુજબ નુસરતની તબિયત ખરાબ થવાનું કારણ દવાઓનો ઓવરડોઝ છે. જો કે નુસરતના પરિવારે આ કારણનું ખંડન કર્યું છે.