West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ ચુંટણી વચ્ચે પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું આચાર સંહિતાનો ભંગ

|

Mar 27, 2021 | 5:20 PM

પીએમ મોદીની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રાનો શનિવારનો બીજો દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરાકાંડીમાં માતુઆ સમુદાયના સભ્યોને મળ્યા હતા. પીએમ મોદીની બાંગ્લાદેશ યાત્રા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સહન થઈ ન હતી. તેમણે આને ચુંટણી આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો હતો.

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ ચુંટણી વચ્ચે પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું આચાર સંહિતાનો ભંગ
પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા

Follow us on

West Bengal Election 2021 :  PM Modi ની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રાનો શનિવારે બીજો દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરાકાંડીમાં માતુઆ સમુદાયના સભ્યોને મળ્યા હતા. આ દરમ્યાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા પણ હાજર રહ્યા હતા.

માનવામાં આવે છે કે પશ્ચિમ બંગાળમાં માતુઆ સમુદાયની અસર વાળી લગભગ 30 થી 40 વિધાનસભા બેઠકો પર છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણીના મતદાનની વચ્ચે PM Modi ની બાંગ્લાદેશ યાત્રા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સહન થઈ ન હતી. તેમણે આને ચુંટણી આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો હતો.

આ સંપૂર્ણ આચારસંહિતાનું ઉલ્લંઘન

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખડગપુરમાં કહ્યું- “અહીં ચૂંટણીઓ ચાલી રહી છે અને પીએમ મોદી બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર પ્રવચનો આપી રહ્યા છે. આ સંપૂર્ણ આચારસંહિતાનું ઉલ્લંઘન છે.” મમતાએ વધુમાં કહ્યું- કેટલીક વખત તેઓ કહે છે કે મમતા લોકોને બાંગ્લાદેશથી લાવ્યો છે અને ઘુસણખોરી કરી છે. પરંતુ તે પોતે મતના માર્કેટિંગ માટે બાંગ્લાદેશ ગયા છે.

ઓરાકાંડીમાં પીએમ મોદીએ શું કહ્યું?

PM Modi એ કહ્યું કે, “હું ઘણાં વર્ષોથી ઓરાકંડી આવવાની રાહ જોતો હતો અને જ્યારે હું 2015 માં બાંગ્લાદેશ આવ્યો ત્યારે મેં ઓરાકંડી જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આજે હું પણ એવું જ અનુભવું છું જે ભારતમાં રહેતા માતુઆ સમુદાયના હજારો અને લાખો ભાઈ બહેનો ઓરાકંડી આવીને અનુભવે છે.

પીએમ મોદીએ ભારત-બાંગ્લાદેશ સંબંધો પર શું કહ્યું?

પીએમ મોદીએ બંને દેશોના સંબંધો અંગે કહ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશ બંને તેમની પ્રગતિ સાથે, સમગ્ર વિશ્વની પ્રગતિ જોવા માંગે છે. બંને દેશો અસ્થિરતા, આતંક અને અશાંતિને બદલે સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઇચ્છે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “શ્રી શ્રી હોરીચાંદ દેવજીના ઉપદેશો લોકો સુધી પહોંચાડવા, દલિત-પીડિત સમાજને એક કરવા માટે ખૂબ મોટી ભૂમિકા તેમના અનુગામી શ્રી શ્રી ગુરૂચંદ ઠાકુર જી પણ છે. શ્રી શ્રી ગુરૂચંદજીએ અમને ‘ભક્તિ, ક્રિયા અને જ્ઞાનનું સૂત્ર આપ્યું.

ગુલામીના તે સમયમાં પણ શ્રી શ્રી હોરીચંદ ઠાકુરે સમાજને કહ્યું કે આપણી ખરી પ્રગતિનો માર્ગ શું છે. ભલે તે આજે ભારત હોય કે બાંગ્લાદેશ, સામાજિકના સમાન મંત્રો સાથે એકતા, સંવાદિતા વિકાસના નવા પરિમાણોને સ્પર્શી રહ્યા છે.

Published On - 5:18 pm, Sat, 27 March 21

Next Article