આ તરફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુંબઇની એક હોટલમાં બેઠક મળી. જેમાં કોઈ ખાસ સમાચાર સામે નથી આવ્યા. બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે મીડિયા સામે જરૂર આપ્યા. પણ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે કોઇ માહિતી ન આપી. જો કે, તેમણે કહ્યું કે, સરકાર બનાવવાને લઇ યોગ્ય દિશામાં ચર્ચા ચાલી રહી છે. અને વહેલામાં વહેલી તકે કોઇ મોટો નિર્ણય લઇશું. ઉદ્ધવ ઠાકરેએ એવું પણ કહ્યું કે, આ એક ઔપચારિક મુલાકાત હતી. અને અહીંથી જ સરકાર બનાવવાને લઇ ચર્ચા શરૂ પણ થઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો હાલ મહારાષ્ટ્રમાં શિવસેનાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે. કોંગ્રેસ અને એનસીપી કોઈ સ્પષ્ટ વાત નથી કરી રહ્યા. તેથી શિવસેનાની ચિંતા વધી રહી છે. શિવસેનાની બીજી એક ચિંતા મુખ્યમંત્રી પદ પણ છે. જો કોંગ્રેસ અને એનસીપી શિવસેનાને સીએમ પદ ન આપે તો તે શિવસેનાને ફજેતી થશે. કારણ કે, ભાજપ સાથે સીએમ પદને લઇને જ છેડો ફાડ્યો છે. તેથી શિવસેના ગમે તે ભોગે સરકારમાં સામેલ થવા હાલ તૈયાર છે.