લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ્યાં એક તરફ પક્ષ પલટો ચાલી રહ્યો છે ત્યારે ભાજપ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના વારણસીથી ચૂંટણી લડશે. પીએમ મોદી આ વખતે પણ બે સીટોથી ચૂંટણી લડશે, જેમાં એક સીટ વારાણસીની, જ્યારે તેમની બીજી સીટનો નિર્ણય હજી લેવામાં આવ્યો નથી.
શુક્રવારે ભાજપ સંસદીય બોર્ડે 2019ના લોકસભા ચૂંટણી પહેલાં રણનીતિ નક્કી કરવાના ઉદ્દેશ્યથી બોલાવવામાં આવેલી બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, 75 વર્ષ જેવી કોઈ ઉંમર સીમા રાખવામાં આવી નથી.
લાંબા સમયથી 75 વર્ષની ઉંમર અંગે નિર્ણય લેવાનો હતો. ભાજપ દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે, જીત માટે મજબૂત દાવેદારી ધરાવતાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે, તેમની ઉંમર 75 વર્ષથી વધુ હોય તો પણ વાંધો નથી.
આ પણ વાંચો : પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉપાડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો ‘વાહ, અમદાવાહ પોલીસ’ !
2014માં સતતમાં આવ્યા પછી ભાજપમાં ઘણાં આંતરિક ફેરફાર જોવા મળ્યા છે. જેમાં નેતાઓ માટે સક્રિય રાજનીતિમાંથી નિવૃતિ માટેની વયમર્યદા 75 વર્ષ નક્કી કરવામાં આવી હતી. જોકે, 2014માં શાનદાર જીત મેળવનારા ભાજપના અનેક નેતા આ વખતે આ દાયરમાં આવી રહ્યા હતા, એવામાં આ નિયમ હવે બદલવામાં આવ્યો છે. આ નેતાઓમાં 91 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી, 85 વર્ષીય મુરલી મનોહર જોશી અને 77 વર્ષીય કલરાજ મિશ્ર જેવા દિગ્ગજ પણ સામેલ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]