આજે ત્રિદિવસીય વિધાનસભાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે બાકી રહેલા બે બિલ પર ચર્ચા થશે. સત્રના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટેનું બિલ રજૂ કરવામાં આવશે અને ગોધરાકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ પણ વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ બંને બિલ પર આજે ચર્ચા થશે. મહત્વનું છે કે ગઈકાલે વિધાનસભામાં ત્રણ બિલ ચર્ચા બાદ સર્વાનુમતે પસાર થયા હતા અને આજે જ્યાં સુધી બિલની ચર્ચા પૂરી નહીં થાય ત્યાં સુધી સત્ર ચાલશે.
ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડને લઈને રાજ્ય સરકારે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતાની તપાસ કમિટી બનાવી હતી. આ તપાસ કમિટી સરકારે લીધેલા પગલા વિશે બે ભાગમાં અહેવાલ આપીને ગૃહને માહિતગાર કરશે. આ તપાસ રિપોર્ટ રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આજે રજૂ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: શું CAB થશે પાસ? રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા