AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત આંદોલનની વચ્ચે PM મોદીએ, દિલ્લીના ગુરૂદ્વારામાં જઈને માથુ ટેકવી કર્યા દર્શન

કૃષિબિલ રદ કરવાની માંગ સાથે છેલ્લા 25 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે દિલ્લીના રકાબગંજ સ્થિત ગુરૂદ્વારા જઈને માથુ ટેકવીને દર્શન કર્યા હતા. શીખોના નવમા ગુરૂ તેગ બહાદુરને અંજલિ અર્પી હતી. કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના, પોલીસ બંદોબસ્ત કે બેરીકેડ વિના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂદ્વારા જઈને […]

ખેડૂત આંદોલનની વચ્ચે PM મોદીએ, દિલ્લીના ગુરૂદ્વારામાં જઈને માથુ ટેકવી કર્યા દર્શન
Prime Minister Narendra Modi to pay a visit to Gurudwara
| Updated on: Dec 20, 2020 | 10:48 AM
Share

કૃષિબિલ રદ કરવાની માંગ સાથે છેલ્લા 25 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે દિલ્લીના રકાબગંજ સ્થિત ગુરૂદ્વારા જઈને માથુ ટેકવીને દર્શન કર્યા હતા. શીખોના નવમા ગુરૂ તેગ બહાદુરને અંજલિ અર્પી હતી. કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના, પોલીસ બંદોબસ્ત કે બેરીકેડ વિના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂદ્વારા જઈને દર્શન કરીને સૌ કોઈને ચોકાવી દિધા હતા. ખેડૂત આંદોલનમાં સૌથી વધુ ખેડૂતો પંજાબના હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના ગુરૂદ્વારાના દર્શન ખૂબ જ મહત્વના અને ભાવિ સંકેત આપી રહ્યાં હોવાનું રાજકીય નિષ્ણાંતોનુ માનવુ છે.

ત્રણેય કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોએ, દિલ્લી સરહદ ઉપર ચક્કાજામ કર્યાનો આજે 25મો દિવસ છે. કૃષિબીલથી આક્રોશીત થયેલા ખેડૂતોએ પંજાબ અને હરિયાણા, રાજસ્થાનને દિલ્લી સાથે જોડતી સરહદે ડેરા તબ્બુ તાણ્યા છે. હાલ હિમાલયક્ષેત્રની પર્વતમાળામાં વરસેલા બરફવર્ષાને કારણે ઉતર ભારત ઠંડીમાં ઠુઠવાઈ ગયુ છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો રાતદિવસ બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ બીલ પરત લે. જ્યારે કેન્દ્ર સરકાર ત્રણેય બીલને ખેડૂતો માટે કલ્યાણકારી ગણાવીને પરત લેવા ઈન્કાર કરી રહી છે. આ સંજોગોમાં હરિયાણાના મુખ્યપ્રધાને સંકેત આપ્યો છે કે, ખેડૂત આંદોલન બાબતે, કેન્દ્રમાંથી બે ચાર દિવસમાં સારા સમાચાર આવી શકે છે. આ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે વહેલી સવારે રકાબગંજ સ્થિત ગુરૂદ્વારા જઈને, દર્શન કરવાના પ્રસંગને આંદોલનના સુખદ ઉકેલ બહુ જલ્દી આવી શકે તેમ હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">