કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી જેવા મુદ્દાને લઈ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીનું આયોજન કર્યું છે. જેમાં રાહુલ ગાંધીએ સંબોધન કરતાં ભાજપ પર મોટા પ્રહાર કર્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે મોદીજી દિવસભર ટીવી પર દેખાય છે, તે માત્ર ટીવી પર આવવા ઈચ્છે છે. તમે ક્યારેય મનમોહનજીને ટીવ પર જોયા. વડાપ્રધાન મોદીએ એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવ્યા. સત્તા માટે વડાપ્રધાન મોદી કઈ પણ કરી શકે છે. ભાજપ સરકારે મને માફી માગવા માટે કહ્યું હું કોઈથી ડરતો નથી. મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી આજે છે. દેશના દુશ્મન ઈચ્છતા હતા કે ભારતની અર્થવ્યવસ્થા નષ્ટ થઈ જાય, જે વડાપ્રધાન મોદીએ કરી દીધું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો