સચિન પાયલટ ભાજપમાં નહી જોડાય, કહ્યુ મારી છબી ખરાબ કરવાનુ ષડયંત્ર
રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે કહ્યુ છે કે તેઓ ભાજપમાં નહી જોડાય. સમાચાર એજન્સી સાથે ટેલિફોનીક વાતચીતમાં સચિન પાયલટે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો તેમની રાજકીય છબીને ખરાબ કરવા માટે જાણી જોઈને, સચિન પાયલટ ભાજપમાં જોડાશે તેવી વાતો ફેલાવી રહ્યાં છે. મે અશોક ગેહલોત પાસે કોઈ જ મોટો હોદ્દો માગ્યો નહોતો. હુ કોંગ્રેસમાં […]
રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે કહ્યુ છે કે તેઓ ભાજપમાં નહી જોડાય. સમાચાર એજન્સી સાથે ટેલિફોનીક વાતચીતમાં સચિન પાયલટે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો તેમની રાજકીય છબીને ખરાબ કરવા માટે જાણી જોઈને, સચિન પાયલટ ભાજપમાં જોડાશે તેવી વાતો ફેલાવી રહ્યાં છે. મે અશોક ગેહલોત પાસે કોઈ જ મોટો હોદ્દો માગ્યો નહોતો. હુ કોંગ્રેસમાં હોઉ કે ના હોઉ, રાજસ્થાનની જનતાની સેવા કરતો રહીશ. આગળની રણનીતિ બાબતે સચિન પાયલટે કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ સચિન પાયલટે વાતવાતમાં ઈશારો કર્યો છે કે તેઓ રાજસ્થાનની રાજનીતિમાં સક્રીય રહેશે પછી તે કોંગ્રેસમાં હોય કે ના હોય..