અલ્પેશ ઠાકોર અને આશા પટેલ કોંગ્રેસને ડરાવી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસમાં હકિકતે આ ભૂકંપ આવી શકે છે?

|

Jun 07, 2019 | 7:06 AM

લોકસભા ચૂંટણીમાં ખાતુ પણ ન ખોલાવી શકનાર કોંગ્રેસને વધુ ઝટકા મળશે. આ સ્ફોટક નિવેદન કોંગ્રેસના જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આપ્યું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસના 17થી વધારે ધારાસભ્યો નારાજ છે. આ ધારાસભ્યો ગમે ત્યારે કોંગ્રેસનો હાથ છોડી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આગામી દસ વર્ષ સુધી કોઈ ચૂંટણી નહીં જીતી શકે તેવી પણ અલ્પેશ ઠાકોરે […]

અલ્પેશ ઠાકોર અને આશા પટેલ કોંગ્રેસને ડરાવી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસમાં હકિકતે આ ભૂકંપ આવી શકે છે?

Follow us on

લોકસભા ચૂંટણીમાં ખાતુ પણ ન ખોલાવી શકનાર કોંગ્રેસને વધુ ઝટકા મળશે. આ સ્ફોટક નિવેદન કોંગ્રેસના જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આપ્યું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસના 17થી વધારે ધારાસભ્યો નારાજ છે. આ ધારાસભ્યો ગમે ત્યારે કોંગ્રેસનો હાથ છોડી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આગામી દસ વર્ષ સુધી કોઈ ચૂંટણી નહીં જીતી શકે તેવી પણ અલ્પેશ ઠાકોરે ભવિષ્યવાણી કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

 

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટ તો બીજી તરફ રાહુલ ગાંધી હજુ પણ આ વાતને લઈ જીદ પર કાયમ

અલ્પેશે સાથે કહ્યું કે, રાજ્યમાં જનાધાર વગરના નબળા લોકો પાર્ટીના નેતા બની બેઠા છે. કોંગ્રેસમાં પાર્ટીનું સંગઠન નબળું છે. અને લોકોની સમસ્યાઓ સમજવામાં અને તેને ઉઠાવવામાં પાર્ટી નબળી પડી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં કાર્યકરો કરતા નેતાઓ વધુ થઈ ગયા છે. આ એસી ઓફિસમાં બેસીને પાર્ટી ચલાવતા લોકો કોંગ્રેસનું ભલુ નહીં કરી શકે તેવો પણ અલ્પેશે દાવો કર્યો. અલ્પેશ ઠાકોર બાદ ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશા પટેલે પણ કોંગ્રેસ તૂટશે તેવું નિવેદન આપ્યું છે. આશા પટેલે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસના 30 થી 34 ધારાસભ્યો નારાજ છે.

TV9 Gujarati

Published On - 8:25 am, Tue, 28 May 19

Next Article