સપ્ટેમ્બરના અંતમાં રૂપાણી સરકારનુ થઈ શકે વિસ્તરણ, 7 પ્રધાનો પડતા મુકાશે, કેબિનેટ કક્ષાના પ્રધાનોમાં વધુ ચાર પ્રધાનો ઉમેરાશે
ગુજરાતમાં વિજય રૂપાણીના પ્રધાનમંડળનુ સપ્ટેમ્બર મહિનાના અંતમાં વિસ્તરણ થાય તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના સૂત્રમાંથી મળતી માહિતી મુજબ, વર્તમાન પ્રધાનમંડળમાંથી સાત પ્રધાનોને પડતા મુકાય તેવી સંભાવના છે. જેમા 3 કેબિનેટ કક્ષાના અને 4 રાજ્યકક્ષાના પ્રધાનોને પડતા મુકાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. વિજય રૂપાણીના નેતૃત્વના વર્તમાન પ્રધાનમંડળમાંથી પડતા મુકાનારા સાત પ્રધાનોની સામે નવા […]
ગુજરાતમાં વિજય રૂપાણીના પ્રધાનમંડળનુ સપ્ટેમ્બર મહિનાના અંતમાં વિસ્તરણ થાય તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના સૂત્રમાંથી મળતી માહિતી મુજબ, વર્તમાન પ્રધાનમંડળમાંથી સાત પ્રધાનોને પડતા મુકાય તેવી સંભાવના છે. જેમા 3 કેબિનેટ કક્ષાના અને 4 રાજ્યકક્ષાના પ્રધાનોને પડતા મુકાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. વિજય રૂપાણીના નેતૃત્વના વર્તમાન પ્રધાનમંડળમાંથી પડતા મુકાનારા સાત પ્રધાનોની સામે નવા લેવાનારા સાત પ્રધાનોમાં 4 કેબિનેટ કક્ષાએ અને 3ને રાજ્યકક્ષાએ સમાવવામાં આવે તેમ સૂત્રો કહી રહ્યાં છે. કચ્છ, મહેસાણા,બનાસકાંઠા અને સુરતને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃભારે વરસાદથી 82.88 લાખ હેકટરમાં ખેતીક્ષેત્રે 25 હજાર કરોડનું નુકસાન, ખેડૂતોને સહાય કરવા વિપક્ષની માંગ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો