શારદા ચીટ ફંડ કેસમાં રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે, આ માટે ફરી એક વખત CBI તેમના ઘરે પહોંચી હતી

|

Jun 07, 2019 | 7:10 AM

કલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારના માથે ધરપકડની તલવાર અટકી છે. શારદા ચીટફંડ કેસમાં CBIએ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું છે. તો બીજી તરફ આજે CBIના 8 જેટલા અધિકારીઓ તેમના ઘરે પહોચ્યા હતા. જો કે રાજીવ કુમાર તેમના ઘરે હાજર નથી. જે બાદ CBIના અધિકારીઓએ સ્થાનીક પોલીસને આ અંગે જાણકારી આપી છે. આવતીકાલ એટલે 27મેના રોજ […]

શારદા ચીટ ફંડ કેસમાં રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે, આ માટે ફરી એક વખત CBI તેમના ઘરે પહોંચી હતી

Follow us on

કલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારના માથે ધરપકડની તલવાર અટકી છે. શારદા ચીટફંડ કેસમાં CBIએ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું છે. તો બીજી તરફ આજે CBIના 8 જેટલા અધિકારીઓ તેમના ઘરે પહોચ્યા હતા. જો કે રાજીવ કુમાર તેમના ઘરે હાજર નથી. જે બાદ CBIના અધિકારીઓએ સ્થાનીક પોલીસને આ અંગે જાણકારી આપી છે. આવતીકાલ એટલે 27મેના રોજ રાજીવ કુમારની પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના સ્વાસ્થય મુદ્દે ચાલી રહેલી ખબરો અંગે PIBના મહાનિર્દેશકે સમગ્ર વાતનો કર્યો ખુલાસો

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

 

CBIનું કહેવું છે કે, તે રાજીવ કુમારની કસ્ટડીમાં પૂછપરછ કરવા માગે છે. જેનો મતલબ એવો છે કે જો રાજીવ કુમાર CBI સામે પૂછપરછ દેવા હાજર થાય તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. જો કે લોકસભા ચૂંટણી દરમિયાન રાજીવ કુમારની બદલી દિલ્હી કરી દેવાઈ હતી. જે બાદ આચાર સંહિતાની સમાપ્તી સાથે ફરી એક વખત તેમને કલક્તામાં હાજર થવાનું કહેવાયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સૂત્રો મુજબ રાજીવ કુમાર આગોતરા જામીન માટે પશ્ચિમ બંગાળની સ્થાનીક કોર્ટમાં અરજી કરી શકે છે. જો કોર્ટે આગોતરા જામીન મંજૂર કરે છે તો પછી CBI તેમની ધરપકડ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા માત્ર 24 મે સુધી ધરપકડથી સંરક્ષણ મળ્યું હતું. આ બાદ એરપોર્ટ પર પણ નજર રાખવામાં આવે છે. રાજીવ કુમાર વિરુદ્ધ આરોપ છે કે શારદા ચીટફંડ અને રોઝવેલી સ્કીમની તપાસ દરમિયાન પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:53 pm, Sun, 26 May 19

Next Article