એક તરફ વધતા કોરોના સંક્રમણને લઈને સરકાર વારંવાર કોઈ કાર્યક્રમો ન યોજવા સૂચના આપે છે. પરંતુ નેતાઓ છે કે માનતા નથી. આ વખતે ભરૂચ નગરપાલિકામાં જિલ્લા ભાજપ પ્રમુખની આગતા-સ્વાગતા કરવામાં સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી થઈ. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. જોકે આ સમગ્ર કાર્યક્રમને લઈને […]
Follow us on
એક તરફ વધતા કોરોના સંક્રમણને લઈને સરકાર વારંવાર કોઈ કાર્યક્રમો ન યોજવા સૂચના આપે છે. પરંતુ નેતાઓ છે કે માનતા નથી. આ વખતે ભરૂચ નગરપાલિકામાં જિલ્લા ભાજપ પ્રમુખની આગતા-સ્વાગતા કરવામાં સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી થઈ. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. જોકે આ સમગ્ર કાર્યક્રમને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે, પાલિકાના અધિકારીઓ કોરોનાનું બહાનુ કાઢીને સામાન્ય સભા યોજતા નથી. પરંતુ નેતાઓનું સન્માન કરવામાં તેમને કોરોના નથી નડતો.