રાજ્યસભામાં પાસ થયું એક ખતરનાક બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ

|

Aug 02, 2019 | 10:35 AM

લોકસભા બાદ રાજ્યસભામાં પણ આજે UAPA સુધારા બિલ-2019 પાસ થઈ ગયું છે. આ બિલના પક્ષમાં 147 વોટ અને વિરુદ્ધમાં 42 વોટ પડ્યા હતા. જાણો આ બિલ અંગેની વિગતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા […]

રાજ્યસભામાં પાસ થયું એક ખતરનાક બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ

Follow us on

લોકસભા બાદ રાજ્યસભામાં પણ આજે UAPA સુધારા બિલ-2019 પાસ થઈ ગયું છે. આ બિલના પક્ષમાં 147 વોટ અને વિરુદ્ધમાં 42 વોટ પડ્યા હતા. જાણો આ બિલ અંગેની વિગતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

UAPA સુધારા બિલથી શું બદલાશે?

1. ગેરકાનૂની પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ, 1967 માં ફક્ત સંસ્થાઓને જ નહીં પરંતુ વ્યક્તિને પણ આતંકવાદી તરીકે જાહેર કરી શકાશે. માત્ર એટલું જ નહીં તે વ્યક્તિને શંકાના આધારે પણ આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. હાલમાં ફક્ત સંસ્થાઓને જ આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી શકાય છે. ખાસ વાત એ છે કે તે વ્યક્તિ માટે આતંકવાદી સંગઠન સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની જરૂર પણ રહેશે નહીં. આતંકવાદી ટેગને દૂર કરવા માટે પણ કોર્ટના બદલે સરકારે બનાવેલ સમીક્ષા સમિતિમાં જવું પડશે. બાદમાં અદાલતમાં અપીલ કરી શકાશે.
2. NIAના ડી.જી. આતંકવાદી જાહેર કરાયેલ વ્યક્તિ અથવા જૂથની સંપત્તિની જપ્ત કરવાની મંજૂરી પણ આપી શકશે. અત્યાર સુધી જે રાજ્યમાં મિલકત હોય ત્યાંના ડી.જી.પી.ની મંજૂરીથી મિલકત જપ્ત થઈ શકે છે.
3. NIAના ઇન્સ્પેક્ટર રેંકના ઓફિસર આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે. અત્યાર સુધી માત્ર ડી.એસ.પી. અને આસિસ્ટન્ટ કમિશનર કે તેની ઉપરના રેંકના અધિકારીને આ પ્રકારની તપાસ કરવાનો અધિકાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે મુક્ત કર્યા એક સાથે જેલમાં બંધ 40,000 કેદીઓને..

NIA સુધારા બિલ 2019માં શું બદલાશે?

1. હવે NIAને માનવ તસ્કરી, નકલી નોટ અને ગેરકાયદે શસ્ત્રોના નિર્માણ અને વેચાણની તપાસ, સાયબર આતંકવાદના કેસોની તપાસ કરવાનો અધિકાર છે.
2. NIAને ભારતની બહાર ભારત અથવા તેના નાગરિકો વિરુદ્ધ કરેલા ગુનાઓની તપાસ માટે અધિકાર છે. અત્યાર સુધી એજન્સી ફક્ત દેશમાં જ તપાસ કરી શકતી હતી.
3. અત્યાર સુધી NIAના કેસની સુનાવણી માટે કેન્દ્રને વિશેષ અદાલત બનાવવાનો અધિકાર હતો, હવે સરકાર આ કેસોની સુનાવણી માટે સેશન્સ કોર્ટને પણ વિશેષ અદાલતનો દરજ્જો આપી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:29 am, Fri, 2 August 19

Next Article