રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!

|

May 26, 2019 | 5:33 AM

શનિવારના રોજ રાહુલ ગાંધીએ કાર્યકારી સમિતિની સામે પોતાનું રાજનામું આપ્યું હતું પણ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ આ રાજનામું સ્વીકારવાની ના પાડી દીધી છે. આ રાજીનામાને લઈને કોંગ્રેસમાં ભાવપૂર્ણ માહોલ સર્જાયો છે. રાહુલ ગાંધીએ કેટલાંક સિનિયર નેતાઓની સામે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, […]

રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!

Follow us on

શનિવારના રોજ રાહુલ ગાંધીએ કાર્યકારી સમિતિની સામે પોતાનું રાજનામું આપ્યું હતું પણ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ આ રાજનામું સ્વીકારવાની ના પાડી દીધી છે. આ રાજીનામાને લઈને કોંગ્રેસમાં ભાવપૂર્ણ માહોલ સર્જાયો છે. રાહુલ ગાંધીએ કેટલાંક સિનિયર નેતાઓની સામે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાહુલ ગાંધીએ પાર્ટીના બેઠકમાં એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા અને નેતાઓની ઝાટકણી કાઢી હતી. બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સ્થાનીક નેતાઓને મજબૂત બનાવવામાં આવે અને રાહુલ ગાંધીએ આ ટિપ્પણી મુદ્દે કહ્યું કે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ પાર્ટીનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. સુત્રોના અહેવાલથી એવું પણ જાણવા મળ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના દીકરાઓને ટીકીટ આપવા માટે દબાણ કર્યું જ્યારે હું તો તેના પક્ષમાં જ નહોતો.

 

TV9 Gujarati

 

આ પણ વાંચો:  ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન-18 બાદ હવે દોડશે ટ્રેન-19, સ્લીપીંગ કોંચ સહિત આ સુવિધાઓથી સજ્જ હશે નવી ટ્રેન

રાહુલ ગાંધીએ ઝાટકણી કાઢતા એમ પણ કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિંદબરમે પણ પોતાના દીકરા કાર્તિકને ટીકીટ અપાવી. તેમણે કહ્યું મોદી સરકાર વિરુદ્ધમાં આ નેતાઓએ પ્રચાર કર્યો નહીં. આમ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ પર એવી ટિપ્પણી કરી કે તેઓએ પાર્ટીનું હિત પહેલાં ન જોયું અને પુત્રમોહ વધારે રાખ્યો.

રાહુલ ગાંધીએ પાર્ટીની હારની જવાબદારી પોતાના માથે લઈને બેઠકમાં રાજીનામાની પેશકશ કરી પણ કોંગ્રેસની કાર્યકારી બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કરી દેવાયું છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી જેવો કોઈ નેતા જ નથી જે આ કમાન સંભાળી શકે. આમ આ બેઠકમાં ભાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article