નાગરિકતા બિલ દેશમાં અમલમાં આવી ગયું છે. હવે આ બિલના બહાને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સરકારને ખુલ્લી ઓફર કરી રહી છે. ફડણવીસ બાદ ભાજપના નેતા આશીષ સેલારે ઓફર કરી છે. અને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે નાગરિક્ત બિલને મહારાષ્ટ્રમાં અમલમાં લાવે. તેમણે સરકારની ચિંતા કરવાની જરૂર નથી.
આ પણ વાંચોઃ મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું: રાહુલ ગાંધી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો નાગરિક્તા બિલના કારણે કોંગ્રેસ અને એનસીપી સમર્થન પર ખેંચશે તો ભાજપ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે. એટલું જ નહિં ભાજપે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાના બહાને પણ શિવસેનાના આડેહાથ લઈ લીધી. શેલારે કહ્યું કે, નાગરિકતા બિલ બાળાસાહેબના વિચારોને આધિન જ છે. અને બાળાસાહેબે તેમની આખી જીંદગી ઘુસણખોરોને બહાર કાઢવા માટે લડાઇ લડ્યા. પરંતુ હવે સત્તા માટે શિવસેનાએ તેમના વિચારોને પણ બાજુમાં મુકી દીધા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો