મહારાષ્ટ્રમાં ભાજપ વિરુદ્ધ ત્રણ પાર્ટીના ગઠબંધન અંગે અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં અનેક બાબતે નિવેદન આપ્યા છે. શિવસેના સાથે ગઠબંધન તોડ્યા બાદ અમિત શાહે ભાજપે કોઈ વાયદા ન કર્યા હોવાની પણ વાત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, અમે ક્યારેય પણ શિવસેના સાથે 50-50ના ફોર્મ્યૂલા પર ચર્ચા કરી નથી.
સાથે એવું પણ કહ્યું કે, ગઠબંધનમાં ચૂંટણી લડી છે. અને આદિત્ય ઠાકરેથી લઈને તમામ શિવસેનાના નેતાઓએ નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવ્યા છે. અને પ્રચાર કર્યો છે. વોટ મળ્યા છે.
મહારાષ્ટ્રમાં ગઠબંધન સાથે શિવસેના, કોંગ્રેસ અને NCPની વિચારધારા કેવી છે જણાવો.
અજીત પવાર સાથે જવાની વાતનો જવાબ આપ્યો કે, તેઓ અમારી પાસે સમર્થન પત્ર લઈને આવ્યા હતા.
અજીત પવાર પર કેસ મામલે પણ ખુલાસો કર્યો કે, તેમના પરથી કોઈ કેસ પાછો લેવામાં આવ્યો નથી.
મહારાષ્ટ્રની સરકાર ચાલશે કે, નહીં. અંગે જવાબ દેવાનું અમિત શાહે ટાળ્યું હતું. કહ્યું કે, હું કોઈ જ્યોતિષ નથી.
અમિત શાહે દાવો પણ કર્યો કે, ભાજપ અને શિવસેનાના જન સમર્થનનું અપમાન કોણે કર્યું….શિવસેનાએ મૅન્ડેટનું અપમાન ક્યું
અમે કોઈપણ ધારાસભ્યને હોટલમાં કેદ કરીને રાખ્યા નહોતા
ભાજપને સત્તાથી દૂર રાખવા અપપ્રચાર દ્વારા વિરોધીએ સરકાર બનાવવાનું કામ કર્યું છે
પ્રચાર દરમિયાન અમે તમામ મંચ પરથી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યા હતા
પરિણામ બાદ ભાજપ પાસે પૂર્ણ બહુમત ન હોવાનું જાણીને ફોર્મ્યુલાની વાત સામે આવવા લાગી હતી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 7:24 am, Wed, 27 November 19