Ahmedabad : હું નારાજ નથી : નીતિન પટેલ, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલના આર્શીવાદ લીધા

પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેતા પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. અને, નીતિન પટેલના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલના આશિર્વાદ લીધા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 11:11 AM

પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેતા પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. અને, નીતિન પટેલના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલના આશિર્વાદ લીધા હતા. આ દરમિયાન નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં નારાજગી બાબતે ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે હું આ બાબતે નારાજ નથી. નારાજગીની તમામ વાતો મીડિયા દ્વારા ઉપજાવી કાઢવામાં આવી છે.

નીતિન પટેલે નારાજગી બાબતે મીડિયાને કંઇક આમ કહ્યું,

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. અને, નવા મુખ્યમંત્રીએ નીતિન પટેલના શુભ આશિષ લીધા હતા. આ મુલાકાત બાદ નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે નારાજગી બાબતે ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મને મુખ્યપ્રધાનના ઉમેદવાર પણ મીડિયાએ જ બનાવ્યા અને નારાજગી પણ મીડિયાએ જ ઉપજાવી કાઢેલી વાતો છે.

આ સાથે જ નીતિન પટેલે કહ્યું હતું કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના અને નજીકના મિત્ર છે.સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ.

ગઇકાલે નવા સીએમની જાહેરાત થતા જ નીતિન પટેલ રવાના થયા હતા

નોંધનીય છેકે નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ  પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ચાલતી પકડી અને કમલમ છોડીને રવાના થયા હતા. આ સમયે ટીવી નાઇન સમક્ષ તેઓએ એક વાક્ય ઉચ્ચાર્યુ,નીતિન પટેલે કહ્યું અત્યારે મારે કશું જ કહેવાનું નથી.નીતિન પટેલના આ નિવેદન બાદ સવાલ એ સર્જાયો છે કે શું ફરી વખત નીતિન પટેલને સાઇડલાઇન કરાતા નારાજ થયા છે.શું ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ નીતિન પટેલને ખુચી રહી છે.

 

 

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">